SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ સત્ત્વગુણ રજસ અને તમસના વિવેચનો બાદ હવે સત્ત્વગુણની વિવેચનાનો પ્રારંભ ત્રણ શ્લોક દ્વારા કરવામાં આવે છે. ત્રણે ગુણમાં સત્ત્વગુણ જળ જેવો શુદ્ધ અને પવિત્ર ગણવામાં આવે છે. આમ હોવાથી જ, જ્યારે સત્ત્વગુણ વધારે ઉદિત થયેલો હોય એ વખતે સત્ત્વગુણસભર અંતઃકરણ કે બુદ્ધિમાં આત્માનું પ્રતિબિંબ સ્પષ્ટ જણાય છે. જેમ અરીસામાં સૂર્યનું પ્રતિબિંબ પડતાંની સાથે જ અરીસો પ્રકાશનું પરાવર્તિત કરી, અન્ય વસ્તુને પ્રકાશિત કરે છે, ઉપરાંત આકાશમાં રહેલો સૂર્ય પણ પદાર્થોને પ્રકાશિત કરે છે, એવી જ રીતે સાત્ત્વિક બુદ્ધિ કેસત્ત્વસંયુક્ત અંતઃકરણ પણ જડ જ્ઞાનેન્દ્રિયો, મન, બુદ્ધિ તથા જડ દેહના તમામ અવયવોને પ્રકાશિત કરે છે અર્થાત્ સર્વ પ્રથમ અંતઃકરણ કે બુદ્ધિમાં આત્માનું પ્રતિબિંબ પડવાથી, બુદ્ધિ ચેતનમય અને જ્ઞાનના ગુણવાળી બની, અન્યને સત્તા અને સ્કૂર્તિ પ્રદાન કરે છે. આમ, સત્તા અને સ્કૂર્તિ પ્રદાન કરવી અને તે દ્વારા સર્વ કાંઈ ઇન્દ્રિયો અને મન-બુદ્ધિ દ્વારા પ્રકાશવું તેને જ શાસ્ત્રમાં ‘જાણવું કહ્યું છે. આમ, સત્ત્વગુણથી પ્રભાવિત અંતઃકરણ જાણવાના ધર્મવાળો છે, જળ જેમ નિર્મળ છે. તેમ છતાં જ્યારે તે રજોગુણ અને તમોગુણના સંગમાં આવે છે ત્યારે બન્નેની સાથે મળીને જીવાત્માને માટે સંસારરૂપી બંધન ઉત્પન્ન કરવામાં પણ કારણ બને છે. આમ, માયાના સત્ત્વ, રજસ અને તમસ જેવા ગુણોની વ્યક્તિગત અસર ભિન્ન ભિન્ન હોવા છતાં ત્રણે ગુણો બંધન પેદા કરવામાં એક સાથે એક જ જેવું કાર્ય કરે છે. માટે જ મુમુક્ષુએ ત્રણે ગુણોથી મુક્ત થઈ ગુણાતીત થવાનો નિરંતર પ્રયત્ન કરવો જોઈએ. . (છંદ-ઉપજાતિ) मिश्रस्य सत्त्वस्य भवन्ति धर्माः त्वमानिताद्या नियमा यमाद्याः श्रद्धा च भक्तिश्च मुमुक्षुता च दैवी च सम्पत्तिरसन्निवृत्तिः ॥१२०॥ અમાનિત્તાવાઃ યમઘા નિયમ: - અમાનીપણું વગેરે, યમ, નિયમ વગેરે,
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy