SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ ભગવાન એક જ છીએ’, એવી ઐક્યબુદ્ધિ દ્વારા અભેદભાવે કરવામાં આવેલી ભક્તિને જ મોક્ષના સાધન ત૨ીકે વર્ણવાય છે. તદુપરાંત આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અનુરાગ હોવો, એ પણ મુમુક્ષુનું મહાન કર્તવ્ય છે. તે સંદર્ભે આત્મજ્ઞાનમાં રતિ, કે પ્રીતિને પણ ભક્તિ કહે છે. આત્મજ્ઞાનને પંથે ધ્યાન પણ અતિ મહત્ત્વનું સાધન છે. પ્રારંભમાં સગુણ અને સાકાર પરમાત્માનું ધ્યાન કરી, ચિત્તશુદ્ધિ અને એકાગ્રતા પ્રાપ્ત કરી, અંતે નિર્ગુણ નિરાકારના ચિંતનમાં પ્રવેશ કરવો, તેને જ સાચું ધ્યાન કહે છે. છેવટે ધ્યાન તો ધ્યાન, ધ્યાતા અને ધ્યેયની ત્રિપુટીના એકાકારમાં પરિણમે છે અને એમ થતાં તમામ ત્રિપુટીઓ જ્ઞાનમાં લય પામી જાય છે. અંતિમ મહત્ત્વના સાધન તરીકે અત્રે ‘યોગ’ શબ્દપ્રયોગ કરેલો છે. યોગ વિશે પણ સમાજમાં અનેકવિધ ખ્યાલો પ્રવર્તમાન છે. સામાન્યતઃ ‘આસનો કરવા’, તેને યોગ કહે છે. તો વળી કેટલાક લોકો ‘પદ્માસનમાં સ્થિર થઈ પ્રાણાયામ દ્વારા મનનો ક૨વામાં આવેલો નિરોધ તે યોગ છે', એવું માને છે. મહર્ષિ પતંજલિ, ચિત્તવૃત્તિના નિરોધને યોગ કહે છે. યોગ શબ્દનો અર્થ મિલન તરીકે થતો હોય છે. સંસ્કૃતમાં યુઝ્ ધાતુ પરથી બનેલો આ ‘યોગ’ શબ્દ છે. યુનો અર્થ છે જોડવું. તેથી યોગ શબ્દનો અર્થ મિલાપ કે જોડાણ થાય છે. વ્યાવહારિક વાતચીતમાં પણ આપણે કહેતા હોઈએ છીએ કે, આજે યોગ સાંપડયો તેથી જ સત્સંગમાં અવાયું'; કે પછી બધાં મિત્રો યોગાનુયોગ એક જગ્યાએ ભેગા થઈ ગયા.' આમ વિભિન્ન અર્થમાં, વિભિન્ન સંદર્ભમાં યોગ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. પરંતુ અત્રે મોક્ષના સાધન તરીકે વર્ણવાયેલ યોગ શબ્દનો અર્થ મોક્ષશાસ્ત્રોમાં કરવામાં આવેલી વ્યાખ્યા પ્રમાણે જ થાય છે. ભગવદ્ગીતામાં યોગની વ્યાખ્યા આપતાં જણાવાયું છે કે, “તું વિદ્યાવ્યું:વસંયોગવિયોનું યોગન્નિતમ્ ।'' [ભ. ગીતા-અ-૬-૨૩]
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy