SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વૈત ટકી શકે તેમ નથી અર્થાત્ જયાં સર્વ ભગવાન જ છે ત્યાં ભક્તથી ભિન્ન ભગવાનનું અસ્તિત્વ હોઈ શકે નહીં. એમ જાણી ભક્ત, ભગવાન અને ભક્તિની ત્રિપુટીનો આત્મતત્ત્વરૂપી તત્ત્વાનુસંધાનમાં લય કરવો તે જ સાચી ભક્તિ છે. આમ થવાથી હકીકતમાં ભક્તની અંદર સુષુપ્ત ભગવાન અભિવ્યક્ત થશે. બીજની અંદ૨ જ વૃક્ષ રહેલું છે. બીજ અને વૃક્ષ અભિન્ન છે. તેથી જ બીજ એક દિવસ અંકુરિત થઈ વૃક્ષ દ્વા૨ા અભિવ્યક્ત થાય છે, તે જ પ્રમાણે ભગવાન અને ભક્ત વાસ્તવમાં એક જ હોવાથી આત્મચિંતન દ્વા૨ા કે અનન્ય ભક્તિભાવ દ્વારા ભક્ત સ્વયં ભગવાનરૂપે અભિવ્યક્ત થાય છે. આવું સમજાતાં જણાય છે કે, વ્યક્તિ એ જ વિરાટ છે. વ્યષ્ટિ એ જ સમષ્ટિ છે. તથા જીવ એ જ પરબ્રહ્મ છે. આમ, આત્માનુસંધાન અંતે જીવ અને બ્રહ્મના અભેદજ્ઞાનમાં પરિણમે છે. આવું ઐક્યનું, અભેદનું જ્ઞાન કરાવે તેવી આત્મવિચારણાને જ કે આત્મતત્ત્વાનુસંધાનને જ તથા સ્વસ્વરૂપાનુસંધાનને જ અત્રે ‘શ્રેષ્ઠ ભક્તિ’ તરીકે ઓળખાવી છે. (છંદ-અનુષ્ટુપ) उक्त साधनसंपन्नस्तत्त्वजिज्ञासुरात्मनः ॥३३॥ उपसीदेद् गुरुं प्राज्ञं यस्माद् बन्धविमोक्षणम् । उक्त साधनसंपन्नः = ઉપર કહેલા સાધનચતુષ્ટય સંપન્ન ઞાત્મનઃ તત્ત્વનિજ્ઞાતુ: - આત્મતત્ત્વને જાણવા ઇચ્છતા પુરુષે = प्राज्ञं गुरुम् उपसीदेत् યસ્માત્. बन्धविमोक्षणम् = ૧૧૭ = = = જ્ઞાની સદ્ગુરુ પાસે જવું કે જેથી સંસા૨રૂપ બંધનથી છૂટકારો (થાય.) ગુરૂપસત્તિ સાધનચતુષ્ટય સંપન્ન થયેલા અધિકારીએ તીવ્ર જિજ્ઞાસા પ્રબળ વૈરાગ્ય, ઉત્કટ મુમુક્ષા તથા અનન્ય શ્રદ્ધા અને ભક્તિ સંયુક્ત થઈ બંધનમાંથી
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy