SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવાસીઓને અરે એક સંદેશ. વસ થાય છે તેમાંથી તે વિચારનું તે આચારમાં અપરોક્ષ થાય છે અને મન,વચન તથા કાયાની એક્તા ફળિત થાય છે. મહાત્માઓના માહાસ્યનું તત્ર શ્રદ્ધાજ છે. અનંતાભાવથી ચોરાશીમાં ફેરા ફરતાં આ સંસારમાં જન્મ લીધે, પણ આત્માનું સાર્થક કર્યું નહિ તે જન્મ વ્યર્થ ગયે એ શાસ્ત્રકારોએ કથેલી સિદ્ધ વાર્તા છે આથીજ ધર્મને વિચાર પ્રત્યેક સ્ત્રી પુરુષને કર્તવ્ય જણાવ્યો છે. જે અવિચળ, અવ્યાબાધ અને કદાપિ ફરે નહિ એવું સાચું સુખ હોય તેજ સધર્મનું પરિણામ છે, અને તેનેજ જ્ઞાનીઓએ મેક્ષ કહ્યો છે. એવા સુખની પ્રાપ્તિ અર્થ સદ્ગુરુના બંધની અવશ્ય કરીને જરૂર છે. ખરા ઉત્કૃષ્ટ સંયમી આત્મજ્ઞાની વિના અનુભવનું સાક્ષાત્ જ્ઞાન રહસ્ય આપવા અન્ય કોઈ સી. બી. સદુગુરુના શરણમાં ગયા વિના મોક્ષ થતો નથી, માટે મનુ માત્ર ગુરુની અપેક્ષા છે; કેમકે ધર્મજ્ઞાનપરત્વે ઘણું લેકે સે – વર્ષના થયા છતા કેવળ એક-એક વર્ષના બાળક જેવા અજ્ઞાત હે ય છે. આથી સહજમાં સમજાશે કે શરુ તરફથી થતા ધર્મ બેધ પરત્વે સંપૂર્ણ શ્રદ્ધા હેવી જોઈએ; કારણકે વિના કેઈપણ રીતનું જ્ઞાન માણસને થઈ શકતું નથી “અશ્રદ્ધા એ મહાપાપ છે ” શ્રદ્ધા વિના કરેલી કિયા ફલિત થતી નથી. જે લોકો અશ્રદ્ધાળુ છે જેમને સંશય ઘણું થયા કરે છે અને તે સંશય થયાને લીધે કોઈ વાતને નિશ્ચય ન થતું હોવાથી તેઓ આત્મિક કલ્યાણ સાધી શકતા નથી. આવી રીતે અનંત સુખના સાધનરૂપ શ્રદ્ધા તે જ્ઞાન ના પાકી શકતી નથી, માટે શ્રદ્ધાપૂર્વક જ્ઞાન મેળવવું આવશ્યક છે. હું નિશ્ચય કરીશ તે સિદ્ધ કરીશ એવી પિતાના બળ ઉપર શ્રદ્ધા આવવી એ અભ્યાસે બન આવે. જગતમાં સ્વાશ્રય, અકર્તવ્ય, પરાક્રમ, સાહસ, વીર્ય એના જ વ્યાવહારિક આધ્યાત્મિક મહાદષ્ટાંતો આજ પણ આપણી ભક્તિને સતેજ કરી આપણને કોઈ મહત કર્મમાં નિયોજવા જેટલે વેગ ઉપજાવે છે તે આવી અતુલ આત્મશ્રદ્ધાના આત્મબળના કાય ઉપર અતુલશ્રદ્ધાનાં પરિણામ છે. આથી આપણે જોઈ શક્યા કે આત્મબળ અભ્યાસે આવે છે, તન્મયતા અભ્યાસે આવે છે, અને જ્ઞાનમાં પણ અમે આગળ વધી શકાય છે. જ્ઞાનનો આનંદ અવશ્ય છે. એ આન દમય જ્ઞાનની પ્રાપ્તિ કેવળ બુદ્ધિના વિલાસેથી થતી નથી, એની સાથે હૃદયને વધારે સંબધ છેમાટે આપણે હવે તે ઉભયની વાત કરીએ. માથામાંથી ઉપજતી પ્રવૃત્તિને બુદ્ધિ કહીએ છીએ, રક્તાશયમાંથી ઉપજતી પ્રવૃત્તિને હૃદય કહીએ છીએ. ભય, કેધ, હર્ષ, આશ્ચર્ય, દયા, પ્રેમ આદિ લાગણી થતાં હદયને ધબકારે વધવા માંડે છે કે મંદ પડી જાય છે, અને પાખા અંગમાં કઈક અણર્ય ચમક લાગી જાય એ વિલક્ષણ પ્રકાર હૃદયને છે.
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy