SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવાસીઓને મારે એક સદેશે. વિલાસી અધિકારીઓ સમજે છે કે અતિશ્રમે જે જ્ઞાન મેળવ્યું તેને ખોટું કહેનારજ કોણ? ધર્માભિમાની પથપ્રવર્તકે જાણે છે કે અમે ઠાવકું મેં રાખી અહં બ્રહ્મ કહીએ છીએ તેને ઈન્કાર કરનાર કેણ? મારે લાલીએ ફૂતરે પણ સમજે છે કે હુતે હુંજ-ને મારા પગના બૂટ પણ જાણે અહંદમાં ચકલે ચાટે ચકુરે ચૂપ કરતાજ નથી. બધી દુનિયામાં અહં માંજ ડૂબી છે. આ લખનારો પણ એમાં એમજ. મનુષ્યને જગતમાં આવી વિશ્વ શું છે? દેહ તથા આત્મા શું છે? ઉભયનો શો સંબંધ છે, એ આદિ પ્રશ્નો ઉપજવા એજ પૂર્વના અતિ શુભ સંસ્કારોનું પરિણામ છે. હાથ, પગ આદિ કર્મેન્દ્રિય, ચક્ષુ શ્રોત્રાદિ જ્ઞાનેન્દ્રિયના યંત્રરૂપ આહાર વિહાર માત્રને શોધનાર અને પિતાનું પ્રિય થાય એમાં જ કૃતાર્થતા માનનાર એવા મનુષ્ય કેવળ પામર છે. એમને સ્વ–પર, કશાનું ભાન નથી, સુખ-દુઃખને વિચાર નથી, એવા મનુષ્યને પોતે જે અધમ વિષયમાં પ્રિયતા માની હોય તે વિષયે પ્રાપ્ત કરવાની કામના બહુ બલિષ્ટ હોય છે, એટલે એઅને એવા સ્વકલ્પિત પ્રિયસ્થાન જે જે વિષય તેમને પ્રાપ્ત કરવાને અર્થે અનેક વ્યાપાર કરવા રચે છે. વ્યવહારમાં અનેક ખટપટ, પ્રપંચ, દગા, ફટકા, ઇત્યાદિ કર્યા છતાં પરિતૃપ્ત થવાતું નથી, એટલે કવચિત્ એવી શક્તિ મળી આવે કે જેથી ઈચ્છાનુસાર પ્રિયની પ્રાપ્તિ સાધી શકાય, તે તેને પણ એવા મનુષ્યો વારંવાર શોધે છે. પામરેની આવી દશા છે. રખાવી લોકસ્થિતિમાં જીવનનો હેતુ શું છે? પુરૂષાર્થ શામાં છે? એવા પ્ર પર લક્ષ જવું એજ પૂર્વનાં અનેક શુભ કોને શુભેદય જાણ. હુદયથી દઢ નિશ્ચય થાય કે એવા પ્રનું નિરાકરણ યથાર્થ રીતે જાણવું તે સદગુરુના શરણુ નીચે અનેક વાચન, મનન, અવલોકન કરતે કરતે એવું નિરા કરણ પ્રાપ્ત થાય છે–ઉચ્ચ જીવનની ભાવના હાથ આવે છે. ઉન્નત જીવનને માર્ગ આત્મજ્ઞાન છે, એ આત્મજ્ઞાન એજ ધર્મ છે, એમ અનેક વાતોથી સિદ્ધ થાય છે. પિતાના સ્વરૂપને જાણી પ્રકૃતિ ઉપર પિતાને અધિકાર સ્થાપ. એટલામાં જ ધર્મની સમાપ્તિ છે-૩નત જીવનની પરાકાષ્ટા છે. ઉન્નત જીવનનો મુખ્ય મંત્ર સ્વાર્પણ અને કર્તવ્ય છે-વાપણું એટલે અભિમાનની વૃત્તિને ત્યાગ કરીને પિતાને જે જ્ઞાન થયું હોય તે બધું પિતાના આચારમાં પ્રદર્શિત કરવું એજ સ્વાર્પણપૂર્વક કર્તવ્ય કરવાને અર્થ છેપછી તે કર્તવ્ય પોતાના લાભને અર્થે હોય કે પિતાના કરતાં વધારે સંખ્યા કે સ્થાનના લાભને માટે હોય અથવા તે આખા વિશ્વના હિતાર્થે હોય તે પણ જે કાળે જેટલું જ્ઞાન હોય તે
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy