SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭. રૂા. ૮૦૦) દુકાન માંડયા બાદ ૬ માસે આપ્યા. જ્યારે પિતાની ચાલાકીથી જથાબબ્ધ માલ ભરી વ્યાપાર કરવા માંડે. એક વર્ષના વ્યાપારમાં સારો લાભ થવાથી સં. ૧૯૪૬ માં બીજી દુકાન અને સં. ૧૯૪૮ ની સાલમાં ત્રીજી દુકાન ચલાવવી શરૂ કરીને ત્રણે દુકાને ૧૨ નેકરની મદદથી પિતે ચલાવવા માંડી. જેથી વ્યાપારી લેકમાં અને જ્ઞાતિમાં પોતે પ્રસિદ્ધિમાં આ વ્યા. સંતેષ એજ પરમ સુખ છે” એ ન્યાયે શેઠ શ્રી ત્રણ દુકાન ખેલવા પછી લક્ષ્મી દેવીની કૃપા પ્રાપ્ત કરી શકયા. પરંતુ તે સાથે જે વ્યવસાય વધી પડયે તે આત્મકલ્યાણના હેતુમાં વિદતરૂપ થતે જણાય, તેથી મળેલ અનુકુળતાથી સંતોષ માનવાનું ધારી વ્યાપારને હદમાં રાખીને દેશમાં રહેવા સાથે આત્મસાધન કરવા. ને વિચાર કર્યો અને તે માટે સં. ૧૯૫૩ની સાલમાં ત્રીજી દુકાન બન્ધ કરી બે દુકાનથી વ્યાપાર કરે શરૂ રાખે. અને–પિત–પિતાના ધર્મપત્ની તથા માતુશ્રી સાથે દેશમાં (માંગરોળમાં) આવ્યા કે પુત્રના ઉદયથી શાંત થતાં તેમનાં માને ફાગણ વદિ ૧૫ ને દિવસે સ્વર્ગવાસ થયેલ. ત્યારબાદ શેઠના શરીરની તંદુરસ્તી પણ જોઈએ તેવી ન રહેવાથી સં. ૧૯૬૦ની સાલમાં મુમ્બઇમાં એક દુકાન ચલાવવી શરૂ રાખી (જે આજ પર્યન્ત ચાલુ રહી છે) અને પોતે સં. ૧૯૬૦ની સાલથી પિતાના ધર્મપત્ની સાથે પોતાના જન્મસ્થાન માંગરોળમાં જ હમેશાં રહેવાનું યેગ્યા ધારી આનન્દમાં પિતાના દિવસે નિર્ગમન કરે છે. ધાર્મિક કાર્યો ધર્મના શુભ કાર્યોમાં શેઠ મકનજીભાઈ પિતાની ઉન્નતિ સાથે વધારે પ્રમાણુ માં ભાગ લેતા રહ્યા છે. પરંતુ મોટા ભાગે તેઓ ખાનગી સખાવત કરવાને વધારે પસંદ કરે છે. તે પણ ખાસ કરીને પર્યુષણ પર્વ અને મહેવાદિ પ્રસંગમાં આગળ પડતે ખર્ચ દરવર્ષે કરતા જોવાય છે. આ ઉપરાંત સં. ૧૯૬૮ની સાલમાં તેમનાં ધર્મપત્ની બાઈ હેમકે રે વષીતપ કર્યું હતું. તેના ઉજમણામાં રૂા. ૩૦૦૦) થી વધારે દ્રવ્યનો સદુપયેગ કર્યો હતોઆ સિવાય મુનિઓને પ્રવજર્યા વગેરે ધા. મિક કાર્યોમાં પિતે અગ્ર ભાગ લેતા આવ્યા છે. એટલું જ નહિ પરંતુ પિતે મેળવેલી ઘણી સંપત્તિમાંથી માત્ર રૂ. ૨૫૦૦૦) પિતા પાસે રાખી બાકીના ધનને સદુપયોગ કરી દીધું છે. અને પિતાની પાસેના દ્રવ્યમાંથી પણ ધાર્મિક કાર્યોમાં જ ખર્ચ કરવાની ઉત્કંઠા ધરાવતા રહ્યા છે. આ ઉપ મત માંગ રેળ પાંજરાપોળ ખાતાના મુંબઈમાં રહેલા વહીવટના ત્રસ્ટી તરીકે તથા માંગરોળના દેરાસરજીના આભૂષણે વગેરે દ્રવ્યના સ રક્ષક (રેઝરર) તરીકે ઉત્સાહથી કાર્ય બજાવતા રહ્યા છે. આવા શુભ કાર્યોમાં તેઓનું ચિત્ત એટલું તે પ્રેમથી જેડાએલ રહે છે કે તેવા સંજોગોમાં વ્યવહાર મેહને તેઓ મેટા ભાગે વીસરી જાય છે,
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy