SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ જેની કાયાનું ગઠન બ્રહ્માએ ચંદ્રના ગર્ભ ભાગમાંથી કર્યું હતું ! આથી ચંદ્રનો મધ્યભાગ કાળો દેખાય છે. દરેક પ્રસિદ્ધ કવિએ નારીદેહનું વર્ણન કરવામાં પોતાની કલમ અને કલ્પનાની કસોટી કરી દીધી છે. કહેવાયું છે કે અસારસંસારમાં જો કોઈ સારભૂત હોય તો માત્ર સારંગલોચના મૃગનયના સુંદરી જ છે. નારીનું આ મનોહારી દર્શન બાહ્યદૃષ્ટિવાળા મનુષ્યોનું દર્શન છે. બહિદષ્ટિ મનુષ્ય નારીને માત્ર શારીરિક ઉપભોગનું સાધન માનીને એની સાથે બીભત્સ વ્યવહાર કરે છે. જ્યારે તત્ત્વષ્ટિ મનુષ્ય “નારીનો આત્મા પણ મોક્ષમાર્ગની આરાધના કરી શકે એટલો ઉત્તમ છે.” એવી પવિત્ર દ્રષ્ટિ રાખીને એના શારીરિક, કમનીય અવયવોનું મમત્વ છોડવાના આશયથી નારીદેહને વિષ્ટા, મૂત્રની હાંડલી, નરકનો દીવો અને કપટની કાલકોટરીના રૂપમાં જુએ છે અને આ દેહદર્શન અયોગ્ય પણ નથી. નારીદેહના સૌંદર્યનું અને એની ભાવભંગિમાની અલૌકિકતાનું વર્ણન એ લોકોએ કર્યું છે કે જેઓ સર્વથા કામી, વિકારી અને શારીરિક વાસનાના ભૂખ્યા વરુઓ હતા. આજે પણ બહિર્દષ્ટિ મનુષ્ય, નારીનાં રૂપસૌંદર્ય અને ફેશન પરસ્તીની પ્રશંસા કરતાં થાકતા નથી. એમાં નારીજાતિનું માન, સન્માન નથી, પરંતુ ઘોર અપમાન છે. નારીદેહના દર્શનથી ઉત્પન્ન સહજ વાસનાને જડમૂળમાંથી ઉખેડી નાખવા માટે એની શારીરિક બીભત્સતાનો વિચાર કરવો અતિઆવશ્યક છે, મહત્ત્વપૂર્ણ પણ છે; પરંતુ એની સાથે એ ન ભૂલો કે નારીદેહમાં અત્યંત ગુણમય આત્માવાસ કરે છે.. નારીને “રત્નકક્ષિ' પણ કહેવામાં આવી છે. આ કોઈ ખોટી વાત નથી, પરંતુ નારીદેહના દર્શનથી મનમાં મોહાસક્તિ પેદા ન થાય એવું દર્શન કરવાનું કહ્યું છે અને આ દર્શન અન્તર્દષ્ટિ વગર સંભવ નથી.“જ્ઞાનસારમાં તત્ત્વવૃષ્ટિ-અષ્ટકમાં કહ્યું लावण्यलहरीपुण्यं वपुः पश्यति बाह्यदृग् । तत्त्वदृष्टिः श्वकाकानां भक्ष्यं कृमिकुलाकुलम् ॥ બાહ્યવૃષ્ટિ મનુષ્ય સૌંદર્ય-તરંગના માધ્યમથી શરીરને પવિત્ર જુએ છે, જ્યારે તત્ત્વવૃષ્ટિ મનુષ્ય એને જ કૂતરાઓને-કાગડાઓને ખાવાયોગ્ય કૃમિથી ભર્યું ભર્યું ભોજન માને છે.” બાહ્યદ્રષ્ટિથી શરીર સૌદર્યથી સુશોભિત, સ્વચ્છ અને નિર્મળ લાગે છે, જ્યારે તત્ત્વદ્રષ્ટિ પુરુષને એ જ શરીર કાગડા, કૂતરાંને ખાવાયોગ્ય કૃમિઓથી ભરેલું ભક્ષ્ય માત્ર લાગે છે. કોઈ માણસ શરીરને જોઈને રાગી બને છે, તો બીજો એ જ શરીરને [ ૬૨ શાન્તસુધારસ ભાગ ૨ |
SR No.006045
Book TitleShant Sudharas Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy