SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ નથી એને ગુરુતત્ત્વ માનવું અને જે સાચા સ્વરૂપમાં ધર્મનથી એને ધર્મ માનવો એ મિથ્યાત્વ છે. જ્યારે આ મિથ્યાત્વનો ક્ષયોપશમ થાય છે ત્યારે આત્મામાં સમ્યકત્વ ગુણ પ્રકટ થાય છે. મિથ્યાત્વનો ક્ષયોપશમ અનેક રીતે થાય છે, પરંતુ એમાં અસાધારણ કારણ હોય છે સદ્ગુરુનો પરિચય. એવાં અનેક દૃષ્ટાંતો ભૂતકાળમાં હતા અને વર્તમાનકાળમાં પણ છે કે સદ્ગરનો પરિચય થતાં મનુષ્યને વાસ્તવિક પરમાત્મસ્વરૂપની ઓળખાણ થાય છે. સાચા સદ્દગુરુનો અવબોધ થાય છે અને સાચા ધર્મનું જ્ઞાન થાય છે. સરુના પરિચયમાં રહેવાથી સાચા દેવ-ગુરુ-ધર્મ ઉપર શ્રદ્ધા રહે છે. આને સમ્યકત્વ અથવા સમ્યગ્દર્શન કહેવાય છે. સમ્યકત્વનો ગુણ સુરક્ષિત રાખવા માટે પાંચ વાતો, પાંચ ગુણ - આત્મામાં દ્રઢ રહેવાં જોઈએ - શ્રદ્ધા, મોક્ષરાગ, સંસારવૈરાગ્ય, અનુકંપા અને ઉપશાન્ત ભાવ.' હવે ગ્રંથકાર કહે છે સ્થિર ચિત્તથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને નિયંત્રિત કરો. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનઃ આર્તધ્યાનની પરિભાષા તત્ત્વાર્થસૂત્ર' માં આ રીતે આપવામાં આવી છે - आर्तममनोज्ञानां संप्रयोगे तद्वियोगाय स्मृति समान्वाहारः । । અપ્રિય વસ્તુ પ્રાપ્ત થતાં એના વિયોગને માટે સતત ચિંતા કરવી એ પ્રથમ આર્તધ્યાન છે. દુઃખ આવી પડતાં એના નિવારણની સતત ચિંતા કરવી એ બીજું આર્તધ્યાન છે. i પ્રિય વસ્તુનો વિયોગ થતાં તેની પ્રાપ્તિ માટે સતત ચિંતા કરવી ત્રીજું આર્તધ્યાન I અપ્રાપ્ય વસ્તુની પ્રાપ્તિ માટે સંકલ્પ કરવો યા સતત ચિંતા કરવી એ ચોથું આર્તધ્યાન છે. આર્તધ્યાનનાં ચાર લક્ષણોઃ ‘શ્રી ઔપપાતિક સૂત્ર'માં આર્તધ્યાનનાં ચાર લક્ષણો બતાવ્યાં છે - ૧. વાયા - જોરથી અવાજ કરીને રડવું. ૨. સોમળયા: દીનતા કરવી. ૩. તિપાયા - આંખમાંથી આંસુ પાડવાં. ૪. વિન્ટવાયી - વારે વારે કઠોર શબ્દો બોલવા. . ૧૫૮ શાન્ત સુધારસ : ભાગ ૨
SR No.006045
Book TitleShant Sudharas Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy