SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ અને છઠ્ઠ ગુણસ્થાનક હોય છે. પાંચમું ગુણસ્થાનક દેશવિરતિનું અને છઠ્ઠ સર્વવિરતિનું હોય છે. પાંચમા ગુણસ્થાનકે રહેલ આત્માઓ આંશિક રૂપે ત્યાગ કરી શકે છે, જ્યારે છઠ્ઠા પર રહેલ આત્માઓ સર્વપાપોનો ત્યાગ કરી સાધુ-સાધ્વી બની શકે છે. આ તત્ત્વજ્ઞાન સમજવું અતિ આવશ્યક છે, કારણ કે સામાન્ય બુદ્ધિવાળો મનુષ્ય એવું સમજે છે કે “સાચી વાત સમજીને મનુષ્ય પોતાના જીવનમાં કેમ જીવતો નથી? તો પછી સાચી સમજદારીનું શું મહત્ત્વ ? આનું સમાધાન છે - સાચી જાણકારીવાળો સમ્યગુદ્રષ્ટિ આત્મા પાપોનો ત્યાગ ન કરી શકવાની પોતાની કમજોરી સમજતો હોય છે, એના મનમાં દુઃખ હોય છે. બીજા લોકો - જેઓ પાપત્યાગ કરે છે તેમને જોઈને તે આનંદિત થઈ જાય છે ! અનુમોદના કરે છે. આ વાતને પુષ્ટ કરનાર બે દ્રષ્ટાંતો યાદ રાખવા જેવાં છે. એક દ્રષ્ટાંત છે શ્રીકૃષ્ણ મહારાજાનું અને બીજું છે સમ્રાટ શ્રેણિકનું. બંને રાજા હતા. શ્રીકૃષ્ણ, ભગવાન નેમિનાથના પરમ ભક્ત હતા. તેઓ પાપપુણ્યનો ભેદ જાણતા હતા. ગ્રહણ કરવા યોગ્ય અને ત્યાગ કરવા યોગ્ય પણ જાણતા હતા !જાણતા હતા, પરંતુ પોતે પોતાના જીવનમાં જીવી શકતા ન હતા. તીર્થકરોનો ઉપદેશ સાંભળવા છતાં પણ એમના મનમાં વિરતિધર્મનું પરાક્રમ ઉલ્લસિત થતું ન હતું. એટલા માટે તેઓ સમ્યગુદ્રષ્ટિ હોવા છતાં પણ જીવનમાં પાપોનો ત્યાગ કરી શકતા ન હતા. ચારિત્રધર્મ - વિરતિધર્મનો સ્વીકાર કરી શક્યા નહીં. પરત રાજકુમારોને, રાણીઓને ચારિત્રધર્મ સ્વીકારતાં રોક્યાં નહીં. ચારિત્રધર્મ સ્વીકારવા દીધો ! પ્રસન્નચિત્તે સ્વીકાર કરવા દીધો! વિરતિધર્મની આરાધના વગર જીવની કદીય મુક્તિ થવાની નથી.” આ વાત તેઓ સારી રીતે સમજતા હતા અને માનતા હતા, પણ તેઓ સ્વયં વિરતિધર્મની આરાધના કરી શક્યા ન હતા. અવિરતિના આસવને સારી રીતે સમજવાનો છે. આ આસવનાં વિનાશકારી પરિણામોને સમજવાનાં છે. આ આસ્રવ જીવોને દુર્ગતિમાં લઈ જઈ શકે છે અને દુઃખી કરી દે છે. ઈક્રિયપરવશતા - દારુણ આવઃ વિષયાસક્તિ જીવને ઈજિયપરવશ બનાવી દે છે. વિષયાસક્ત મનુષ્ય સ્વચ્છેદ બનીને વિષયભોગ કરે છે અને પોતાનો વિનાશ કરે છે. એટલે કે પાપકમોંથી આત્મા બંધાઈ જાય છે. જ્યારે એ પાપકર્મોનો ઉદય થાય છે ત્યારે જીવને ભયાનક દુઃખો ભોગવવાં પડે છે. પ્રસ્તુતમાં પાંચ ઇન્દ્રિયોના વિષયમાં પાંચ પશુઓનો નિર્દેશ ગ્રંથકારે કર્યો છે. [ આસ્રવ ભાવના ૧૨૫]
SR No.006045
Book TitleShant Sudharas Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy