SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ જિનવાણીએ આત્મહત્યાથી બચાવ્યો: એક શહેરમાં અમારું ચાતુર્માસ હતું. પ્રત્યેક રવિવારે બપોરે જાહેર પ્રવચનો રહેતાં હતાં. એક રવિવારે આ ભાવનાઓ ઉપર પ્રવચન હતું. પ્રવચન પૂર્ણ થયા પછી મારો એક પરિચિત યુવક તેના એક મિત્રને લઈને મારી પાસે આવ્યો, અને તેનો પરિચય આપતાં તેણે કહ્યું : “મહારાજ સાહેબ, આ મારો મિત્ર છે, સરકારી નોકર છે, સારી નોકરી છે, તે ફરવા જતો હતો. હું તેને આ પ્રવચનમાં લઈ આવ્યો. તેણે ધ્યાનથી પ્રવચન સાંભળ્યું અને ખૂબ પ્રભાવિત થયો છે.” તે યુવકે કહ્યું: ‘મહારાજશ્રી, સાચું કહું છું કે આજે મને નવું જીવન મળ્યું છે. હું આજે ઘેરથી નીકળ્યો હતો આપઘાત કરવા જ! હું બે વરસથી ખૂબ અશાન્ત હતો ! પતિપત્નીનો સંબંધ તૂટી ગયો હતો. હું અતિશય નિરાશ થઈ ગયો હતો. જીવવું મારે માટે તદ્દન અશક્ય બની ચૂક્યું હતું... આજે હું જીવનનો અંત લાવવા જ ઘેરથી નીકળ્યો હતો અને રસ્તામાં રાજેન્દ્ર મળી ગયો ! તે મને પ્રવચનમાં લઈ આવ્યો. હું જૈન નથી એટલે મને અહીં આવવામાં સંકોચ થતો હતો, પરંતુ રાજેન્દ્ર આગ્રહ કર્યો અને અહીં લઈ આવ્યો. તેણે મારા ઉપર મોટો ઉપકાર કર્યો. પ્રવચન સાંભળતો ગયો... મારું મન સ્વસ્થ બનતું ગયું. મારી મુશ્કેલીઓનું સમાધાન થતું ગયું. હવે હું કદીય આત્મહત્યાનો વિચાર નહીં કરું. આપનો મારા ઉપર મહાનું ઉપકાર થયો.” વાસ્તવમાં આ ઉપકાર જિનવાણીનો હતો, જિનવચનોનો હતો. હું તો માત્ર માધ્યમ જ હતો. જિનવાણીએ યુવકને બચાવી લીધો. નવું જીવન પ્રદાન કર્યું. સગર ચક્રવર્તી: ભાવનાથી મનઃશાન્તિ : આ તો હમણાંની જ ઘટના છે. આવી અનેક સુખદ ઘટનાઓ બનતી રહે છે. પ્રસંગે પ્રસંગે આવી ઘટનાઓ અંગે કહેતો રહીશ. પરંતુ એક પ્રાચીનતમ રોચકરોમાંચક ઘટના છે. તમે આ ઘટના સાંભળી પણ છે. અષ્ટાપદ તીર્થની પૂજામાં તમે સાંભળ્યું હતું કે અષ્ટાપદ તીર્થની રક્ષા કરતાં કરતાં સગર ચક્રવર્તીના ૬૦ હજાર પુત્રોનું મૃત્યુ થઈ ગયું. ૬૦ હજાર રાજકુમારો તો દેવગતિમાં ચાલ્યા ગયા હતા, પરંતુ પિતા સગર ચક્રવર્તીએ આ સમાચાર સાંભળ્યા. તો તે પાગલ જેવા થઈ ગયા હતા. કરુણ આક્રંદ કરવા લાગ્યા હતા. કોઈ માણસમાં શક્તિ ન હતી કે ચક્રવર્તીને શાન્ત કરે! છેવટેદેવરાજ ઇન્દ્રનેઆવવું પડ્યું. દેવરાજ ઈન્દ્રતત્ત્વજ્ઞહોય છે. સમ્યગૃષ્ટિ હોય છે. તેમણે સગર ચક્રવર્તીને અનિત્ય ભાવનાથી સમજાવ્યા. સંસારના તમામ સંબંધ અનિત્યહોય છે. આયુષ્ય, આરોગ્ય, શક્તિ અને જીવન.બધું જ અનિત્ય હોય છે. આ બધું સારી રીતે સમજાવ્યું ત્યારે ચક્રવર્તીનો શોક દૂર થયો. તે સ્વસ્થ બન્યા. આ શું શાન્ત સુધારસઃ ભાગ ૧ ૧૧ |
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy