SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ આ જીવલોક અનિત્ય છેઃ જીવલોકની અનિત્યતા, અસારતા તેને બે ગાથાઓમાં કહી છે. કારણ કે સામે રાજા હતો. રાજાની પાસે ભરપૂર ભૌતિક સુખો હોય છે અને સુખ વચ્ચે માણસને સંસાર અનિત્ય નથી લાગતો ! સંસારની અસારતાનો વિચાર પણ નથી આવતો ! એટલા માટે મુનિરાજે રાજાને કહ્યું ક્ષણિક અલ્પકાલીન જીવનમાં તું હિંસામાં કેમ પ્રવૃત્ત થાય છે? જીવહિંસાથી પરલોકમાં જીવ તીવ્ર શારીરિક, માનસિક દુઃખ પામે છે. સદાય યાદ રાખવું જોઈએ કે આ જીવલોક - આ સંસાર અસાર છે. એમાં જીવ કોઈ પણ ગતિમાં, કોઈ પણ યોનિમાં સ્થિર નથી. જન્મ-મૃત્યુનું અનાદિકાલીન ચક્ર ફરતું રહે છે. જેમ સંસારમાં સુખદુઃખનું પણ ચક્ર ચાલતું જ રહે છે તેમ આ ચક્ર ફરતું રહે છે. બધું જ છોડીને જવાનું છેઃ મુનિરાજે ત્રીજી વાત પણ ચોટદાર કહી છે. યાદ રાખો - તમામ છોડીને જવાનું છે. રાજ્યને પણ છોડીને જવાનું છે. એકાન્ત ક્ષણમાં પોતાના મનની સાક્ષીએ પ્રતિદિન ચિંતન કરવાની વાત કહી છે - “મારે બધું જ છોડીને જવાનું છે. જેને એક દિવસે છોડીને જવાનું છે એના ઉપર મમત્વ કેમ કરવું? શા માટે કરવું? તેને પોતાનું શા માટે માનવું? ન માનવું જોઈએ. જ્યારે પણ કોઈ ઈષ્ટ - પ્રિય વસ્તુનો ત્યાગ કરવામાં મન આનાકાની કરતું હોય ત્યારે આ સૂત્રને યાદ કરવું - બધું જ છોડીને જવાનું છે.' રૂપ અને જીવન ચંચળ છે: સર્વ જીવોને પોતાનું જીવન પ્રિય હોય છે. જ્યારે આ તો રાજા હતો, રૂપવાન હતો, એટલા માટે રૂપ પણ પ્રિય હોય છે - મુનિરાજે રૂપ અને જીવન - બંનેની ચંચળતા, અસ્થિરતા, ક્ષણિકતા બતાવી દીધી. રૂ૫ શાશ્વતું નથી હોતું, જીવન શાશ્વતુ નથી. રૂપ ગમે ત્યારે કુરૂપ બની શકે છે. જીવનનો ગમે ત્યારે અંત આવી શકે છે. રૂપની ચંચળતાને મન-મસ્તકમાં સમજી રાખવાની બાબતમાં સનત્કુમાર ચક્રવર્તીનું દ્રષ્ટાંત યાદ રાખો. સ્નાન કરતી વખતે દેવોને પણ વિસ્મય પમાડનાર રૂપ જ્યારે ચક્રવર્તી રાજસભામાં આવીને બેઠા ત્યારે કુરૂપ બની ગયું હતું ! એના શરીરમાં સોળ પ્રકારના મહારોગ પેદા થઈ ગયા હતા. જીવનની ચંચળતા તો હોસ્પિટલોમાં અને સ્મશાનમાં દરરોજ જોવા મળે છે. છાપાઓમાં વાંચો છો ને ? રૂપ અને જીવનની ક્ષણિકતાનો વિચાર તમને પરલોકનો વિચાર કરવા પ્રેરિત કરશે. “મૃત્યુ પછી હું કઈ સંસાર ભાવના : ૨૧૭ |
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy