SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ કેવી રીતે બાંધે છે? ભગવાન મહાવીર તીર્થકર કેવી રીતે બન્યા હતા? તેમના પૂર્વજન્મોની કથાઓનું અધ્યયન કરવાથી ખ્યાલ આવશે. નંદનમુનિના રૂપમાં ભવમાં તેમણે તીર્થંકર નામકર્મ બાંધ્યું હતું. સમગ્ર જીવસૃષ્ટિ પ્રત્યે તેમની દિવ્ય કરુણા ભાવના હતી. “મારામાં એવી શક્તિ પ્રગટ થાઓ કે જેથી હું ભવ-વનમાં ભટકતા સર્વે જીવોને પરમ સુખ પ્રદાન કરું.. સર્વને સિદ્ધ બુદ્ધ. મુક્ત બનાવી દઉં.' અને એવી શક્તિ પ્રાપ્ત કરવા માટે તેમને “વીસ સ્થાનક-તપ'ની ઉગ્ર સાધના કરી. લાખો ઉપવાસ કર્યો. જીવોના ઉદ્ધારની શક્તિ સસ્તામાં નથી મળતી. માત્ર વિચાર કરવાથી કાર્યસિદ્ધિ થતી નથી. પ્રબળ પુરુષાર્થ કરવો પડે છે. કરુણાભાવનાથી અને તપની આરાધનાથી તીર્થકર નામકર્મ બાંધી લીધું. ૨૬મો. ભવ મળ્યો દેવલોકનો અને ર૭માં ભવમાં તેઓ તીર્થંકર મહાવીર બન્યા. તીર્થકર બનીને ધર્મતીર્થની સ્થાપના કરીને તેમણે એ જ કામ કર્યું કે જે નંદનમુનિના જન્મમાં વિચાર્યું હતું, તીવ્રતાથી ચાહ્યું હતું. ભવ-વનમાં ભટકી રહેલા સર્વ જીવોને પરમ સુખમય મોક્ષમાં લઈ જાઉં. પરમ સુખ. શાશ્વત સુખ અપાવી દઉં.” તેમણે ધર્મતીર્થની સ્થાપના કરી; સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી અને જગતને ધમપદેશ આપવાની શરૂઆત કરી. પરમ સુખમય મોક્ષમાર્ગનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું. તીર્થકર “સંસારમાં સુખ છે, સંસાર સ્વર્ગ છે' - એવી ભ્રાન્તિમાં રાચતા જીવોની ભ્રાન્તિ મટાડવા લાગ્યા, તેમણે કરુણાપૂર્ણ વાણીમાં સમજાવ્યું? સંસાર નગર નથી, સ્વર્ગ નથી, વન છે, જંગલ છે. v સંસારમાં નિરંતર આસવોની વર્ષા થઈ રહી છે. | સંસારમાં સર્વત્ર કમની લતાઓ ફેલાયેલી છે અને | સંસારમાં સર્વત્ર મોહનો પ્રગાઢ અંધકાર છે. એટલા માટે સંસાર-વનમાંથી બહાર નીકળી જાઓ. મુક્તિપથ ઉપર આવો. મુક્તિના માર્ગે ચાલતા રહો. થાકો નહીં. અધીરા ન થાઓ. હિંમતથી આગળ વધો. કોઈ લોભમાં, લાલચમાં ફસાશો નહીં. અમે જેમ કહીએ તેમ કરતા રહો, ચાલતા રહો. કષ્ટ અને આપત્તિઓથી ડરો નહીં, સંકટ સહન કરતા ચાલ્યા કરો. જિનવાણી પર વિશ્વાસ કરો: પરમાત્મા તીર્થંકર દેવ પ્રત્યે વિશ્વાસ હશે તો તેમનાં વચનોમાં, તેમની વાણીમાં વિશ્વાસ રહેશે જ. ભગવાન મહાવીર ૨૪મા તીર્થંકર હતા. તેમના ઉપદેશોને તેમના ગણધરોએ સૂત્રબદ્ધ કર્યા હતા. બધા નહીં તો કેટલાક ઉપદેશો લુપ્ત થઈ ગયા, કેટલાક સુરક્ષિત રહ્યા. આજે આપણે એમના એ ઉપદેશોને ‘આગમસૂત્ર' કહીએ શાન્તસુધારસઃ ભાગ ૧
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy