SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ શકીએ છીએ ખરા ? જે રીતે ‘શ્રીપાલચરિત્ર’માં વાંચીએ છીએ કે સમુદ્રમાં પ્રવાસ કરતાં ધવલશેઠે કપટથી શ્રીપાલને ધક્કો માર્યો હતો. શ્રીપાલ સમુદ્રમાં પડતાં જ તેમના પરમ ઈષ્ટ સિદ્ધચક્રજીને યાદ કરે છે. એમના હૃદયમાં સિદ્ધચક્ર પ્રત્યે અખૂટઅખંડ શ્રદ્ધાભાવ હતો. શરણાગતિ હતી. તે સમુદ્રમાં પડ્યા. જહાજ તો સાગરમાં આગળ વધી ગયું. શ્રીપાલની પત્નીઓ, શ્રીપાલની વિપુલ સંપત્તિ બધું જ જહાજમાં હતું. મિત્રના રૂપમાં રહેલ ધવલશેઠ ગુપ્ત રીતે તો શત્રુ જ હતો. શ્રીપાલની તમામ પત્નીઓ જે રાજકુમારીઓ હતી, અને શ્રીપાલની સંપત્તિ અમાપ અપરિમેય હતી.... આ બધું પચાવી જવા - હડપ કરી જવા પેલા દુષ્ટ ધવલે શ્રીપાલને સમુદ્રમાં પાડી નાખ્યો હતો. પરંતુ ધર્મો રક્ષતિ રક્ષિતઃ ।’ ધર્મે શ્રીપાલની રક્ષા કરી. એ એક મોટા મગરમચ્છની પીઠ ઉપર પડ્યો. મગરમચ્છ તરતો તરતો સમુદ્રને કિનારે શ્રીપાલને લઈ ગયો. કિનારે ઊતરીને શ્રીપાલ એક વૃક્ષ નીચે જઈને બેઠા. તેમના મન ઉપર ચિંતાનો કોઈ ભાર ન હતો. તે નિશ્ચિંત હતા. ન કામિનીનો ભાર હતો કે ન તો કંચનનો ભાર હતો. તમામ ભાર તેમણે ‘સિદ્ધચક્ર'ને સોંપી દીધો હતો ! સિદ્ધચક્ર તેમની શ્રદ્ધાનું કેન્દ્ર હતું, શરણાગતિનું કેન્દ્ર હતું. તેના વિશ્વાસ ઉપર તે નિશ્ચિંત હતા. એ નિર્ભય હતા. તેમના મનમાં ધવલશેઠ ઉપર દ્વેષ પણ ન હતો. ન તો તેઓ જીવનથી કંટાળી ગયા હતા. સંકટો તેમને હરાવી શક્યાં ન હતાં. તે તો સદાય પ્રસન્નચિત્ત જ હતા. શાન્ત ચિત્તે સિદ્ધચક્રની આરાધના કરતા હતા. આ કોઈ કલ્પનાની કથા નથી. - વાસ્તવિક કથા છે. જે માણસનિઃસ્પૃહ, નિર્મમત્વયુક્ત થઈને જીવે છે અને શ્રદ્ધા તેમજ શરણાગતિના ભાવોને હૃદયસ્થ કરે છે, તે સદૈવ શાન્તિનું અમૃતપાન કરતો રહે છે. શાન્તસુધા એટલે મોક્ષસુખ : શાન્તિનું અમૃતપાન, પ્રશમનું અમૃતપાન એ જ આ સંસારમાં મોક્ષસુખનો અનુભવ છે. પ્રશમરતિ’માં ભગવાન ઉમાસ્વાતિજી કહે છે ઃ રે મોક્ષસુવું પ્રત્યક્ષ પ્રશમસુહમ્ । સિદ્ધશિલા ઉપર જે મોક્ષસુખ છે, તે તો ઘણું દૂર છે. અહીં સંસા૨માં પ્રશમસુખ, શાન્તસુધાનું રસપાન જ મોક્ષસુખ છે. જો આ સંસારમાં જ મોક્ષસુખનો અનુભવ કરવો હોય તો શાન્તસુધારસનું અમૃતપાન કરતા રહો. શરણાગતિના ભાવને હૃદયમાં સ્થિર કરો. મમત્વ, રાગદ્વેષનો થોડોક સમય ત્યાગ કરી, સ્થિર ચિત્તે સ્થિર આસનથી બેસીને નીચે પ્રમાણે સ્વાધ્યાય કરો ઃ ૧૭૦ શાન્તસુધા૨સ ઃ ભાગ ૧
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy