SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ હસ્તિનાપુરના બાહ્ય પ્રદેશમાં પહોંચ્યા. નગરના બાહ્ય ઉદ્યાનમાં બંને મુનિવરોએ સ્થિરતા કરી અને ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા. ' એક દિવસે સંભૂતમુનિ માસખમણ(એક માસના ઉપવાસ)ના પારણા માટે ભિક્ષા લેવા માટે નગરમાં ગયા. ત્યાં પેલા નમુચિએ મુનિરાજને જોયા. નમૂચિ કાશીમાંથી ભાગીને અહીં આવ્યો હતો, અને ચક્રવર્તી સનતકુમારની રાજસભામાં મંત્રી બન્યો હતો. નમુચિએ સંભૂતમુનિને ઓળખી લીધા. તે ગભરાઈ ગયો. તેણે વિચાર્યું - ‘આ સંભૂત-ચાંડાલપુત્ર મારો પૂર્વવૃત્તાંત પ્રકટ કરશે. એટલે તેણે પોતાના સેવકોને આજ્ઞા કરી - “આ સાધુને મારીને નગરની બહાર કાઢી મૂકો.’ સેવકોએ જઈને સંભૂતમુનિને પકડ્યા અને મારવા લાગ્યા. નમુચિ જુએ છે. નીચ અને અધમ પુરુષ ઉપર કરેલા ઉપકાર સાપને દૂધ પાવા બરાબર છે.' શું નમુચિ જાણતો ન હતો કે “જો ચિત્ર અને સંભૂતે તેને ગુપ્ત માર્ગેથી ભગાડ્યો ન હોત તો તેમનો પિતા-ચાંડાલ તેને મારી નાખત?મેં તો એ આશ્રયદાતા - જીવનદાતાની પત્ની સાથે વ્યભિચાર કર્યો હતો.” આ બધું જ તે જાણતો હતો. છતાં પણ સંભૂતને - જે મુનિવેશમાં હતો, તેને પોતાનાં સૈનિકો દ્વારા મરાવે છે. મુનિ બાહ્યોદ્યાનમાં જવા વળ્યા પરંતુ સૈનિકોએ જવા ન દીધા - મારતા જ રહ્યા. ત્યારે અચાનક મુનિના મુખમાંથી તેજોલેશ્યા ઉત્પન્ન થઈ ગઈ. મુનિ કોપાયમાન થઈ ગયા. મુખમાંથી અગ્નિજ્વાળાઓ નીકળવા લાગી. જે સૈનિકો તેમને મારતા હતા તે બધા અગ્નિજ્વાળામાં બળવા લાગ્યો. નગરવાસીઓ ગભરાયા. નમુચિ પણ ભયભીત થઈ ગયો. વાત પહોંચી ચક્રવર્તી સનકુમાર સુધી. તે તત્કાલ મુનિરાજની પાસે આવ્યો. મુનિરાજને વંદન કરીને પ્રાર્થના કરી. ‘ભગવન! આ પ્રકારે રોષ કરવો આપ જેવા મુનિવરને માટે શું ઉચિત છે? સૂર્યનાં કિરણોથી ચંદ્રકાન્ત મણિ તપે છે જરૂર, પરંતુ પોતાની શીતળતા છોડતો નથી. આ સેવકોએ આપનો અપરાધ કર્યો છે, એટલા માટે એમના ઉપર ક્રોધ આવવો સહજ છે, પરંતુ સત્પરષોનો ક્રોધ, દુર્જનોના સ્નેહ જેવો ક્ષણિક હોય છે. આમ તો સત્પરષોને ક્રોધ આવતો જ નથી, આવે તો દીર્ઘકાળ સુધી ટકતો નથી. અને રહેતો પણ નિષ્ફળ જાય છે. હેમહામુનિ, મારી આપને પ્રાર્થના છે કે આપ ક્રોધ છોડી દો. કારણ કે આપ તો અપકારી અને ઉપકારી બંને પ્રતિ સમદ્રુષ્ટિ ધરાવો છો.' છતાં પણ મુનિરાજની તેજોલેશ્યા શાન્ત ન થઈ. આ વાત ચિત્રમુનિને ઉદ્યાનમાં મળી ગઈ તે તત્કાલ સંભૂતમુનિ પાસે આવ્યા અને મધુર વાણીમાં સંભૂતમુનિને શાન્ત કર્યા. રાજા અને પ્રજાએ મુનિવરને વંદના કરી. બંને મુનિરાજ ઉદ્યાનમાં પાછા [૧૦ ] | શાન્તસુધારસ : ભાગ ૧ ક
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy