SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ નિરાહાર આત્માનાં દર્શન કરવાનાં છે, ધ્યાનથી જ આ દર્શન થઈ શકે. આવું ધ્યાન એ સત્પરષો કરી શકે કે જેમને શુદ્ધ આત્મસ્વરૂપમાં વિશ્રાન્તિ પ્રિય લાગે છે, એમાં જ જેમને રમણતા પ્રિય લાગે છે. મહામુનિ દેવચંદ્રજીએ ગાયું છે - આતમ તત્વાવલંબી, રમતા આતમરામ, શુદ્ધ સ્વરૂપને ભોગે, યોગે જસુ વિસરામ. સર્વપ્રથમ તો સ્વગુણોના ચિંતનમાં મન નિમગ્ન હોવું જોઈએ. પછી અંદર રહેલા આત્મસત્તા તરફ જોવાનું છે. પરભાવથી, પુદ્ગલભાવથી મનને સંપૂર્ણતયા મુક્ત કરવું પડશે. શ્રી દેવચંદ્રજીએ કહ્યું છે - સ્વગુણ-ચિંતન રસે બુદ્ધિ ઘાલે, આત્મસત્તા ભણી જે નિહાળે. એવો યોગીપુરુષ તેહ સમતારસ તત્ત્વ સાથે, આ નિશ્ચલાનંદ અનુભવ આરાધે. સમતારસની, પ્રશમરસની અનુભૂતિ કરવાની છે અને નિશ્ચલ આનંદ-પરમાનંદ પામવો એ જ યોગીપુરુષોનો ઉત્સવ હોય છે. જેયોગીપુરુષોની બુદ્ધિ આત્મગુણોના ચિંતનમાં ડૂબે છે અને જેમને આત્મસત્તા જ દેખાય છે, એ યોગીપુરુષો પોતાના આત્મગુણોના આયુધ-શસ્ત્રથી કર્મોનો નાશ કરે છે, ભરપૂર કમનિર્જરા કરે છે. સ્વગુણ આયુધ થકી કમ ચૂરે. અસંખ્યાત ગુણ નિર્જરા તેહ પૂરે. જેમ જેમ કમનિર્જરા થતી જાય છે, તેમ તેમ આત્માને અભિનવ પ્રશમસુખનો અનુભવ થતો જાય છે. એ જ પુરુષોનો મહોત્સવ છે. આ જન્મમાં જ ઉત્સવ મનાવી લો : યોગી-જ્ઞાની મહાપુરુષોનો ઉત્સવ અંદર પ્રકટે છે. આ ઉત્સવની મજા વર્ણનાતીત....શબ્દાતીત હોય છે. એટલે કે આ પ્રશમસુખની અભિનવ અનુભૂતિ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. કાવ્યમાં ગાઈ ન શકાય! દુનિયાની કોઈ ઉપમા આપીને સમજાવી ન શકીએ. આ તો યોગીપુરુષોનો નિજ-ઉત્સવ હોય છે. સ્વયંનો નિજાનંદ હોય છે. મોક્ષસુખ તો દૂર છે, પરંતુ એવું જ – એની સમકક્ષ પ્રશમસુખ અહીં જ અનુભવે છે. [ અનિત્ય ભાવના
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy