SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રભાવકચરિત્ર થયો હતો અને તે કુળનાં મનુષ્યો પરમ્પરાથી જૈન ધર્મના અનુયાયી હતાં; કારણ કે એમના બાપ અને મામાએ એમનો જન્મ થયા પૂર્વે જ જૈન દીક્ષા ગ્રહણ કરેલી હતી. વજસ્વામીને પૂર્વજન્મના જ્ઞાનથી વૈરાગ્ય ઉત્પન્ન થયો હતો અને તે જ કારણે તેમણે બાળપણામાં દીક્ષા ગ્રહણ કરી હતી. વજસ્વામીના ગુરુ આર્યસિંહગિરિ આર્યસુહસ્તિની પરમ્પરાના મેટિક ગણના આચાર્ય હતા. કલ્પસ્થવિરાવલીમાં એમના મુખ્ય ૪ શિષ્યોમાં વજનો નંબર આર્ય સમિતના પહેલાં લખેલો છે; પરનું ચરિત્ર ગ્રન્થોમાં આર્યસમિતનો નંબર વજની પહેલાં મળે છે, આ પાઠાન્તરનું કારણ એ જણાય છે કે વજસ્વામી પાછળથી યુગપ્રધાન બન્યા હોવાથી કલ્પસૂત્રમાં તેમનો નામોલ્લેખ આર્યસમિતની પૂર્વે કર્યો છે. વજનો સમય સંયમપ્રધાન હતો. દુષ્કાળના સમયમાં વિદ્યાપિણ્ડ ભોગવવાને બદલે અનશન ગ્રહણ કરવાનું વજસ્વામીના શિષ્યોએ પસંદ કર્યું હતું, એ જણાવે છે કે તે કાળમાં સંયમધર્મમાં થોડો પણ અપવાદ લગાડવાને સાધુઓ ખુશી ન હતા; સાથે જ તે સમયમાં જૈન સમાજમાં મૂર્તિપૂજાનો મહિમા છેલ્લી હદે પહોંચેલો જણાય છે. અન્ય ધર્મિઓના પ્રતિબન્ધ સામે સંયમિશિરોમણિ વજસ્વામી જેવા જૈન ચૈત્યો માટે પુષ્પ નિમિત્તે કમર કરે છે અને બહુ દૂર પ્રદેશથી પુષ્પો લાવીને શ્રાવક વર્ગની ઇચ્છા પૂર્ણ કરે છે, એ બધું બતાવે છે કે તે કાળમાં ચૈત્યપૂજાનું કાર્ય એક મહાનુ ધર્મનું અંગ મનાવા લાગી ચુક્યું હતું અને જો ઉંડું ઉતરીને જોઈએ તો વજની આ પ્રવૃત્તિનું આલંબન લઈને જ પાછળના આચાર્યો ધીમેધીમે ચૈત્ય સંબધી સાવદ્ય કાર્યોમાં પ્રવૃત્ત થયા હતા. આવશ્યક નિર્યુક્તિ-ભાષ્ય ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, ચૈત્યવાસિયો વજને આ દૃષ્ટાન્તથી સંયમધારિયોને પણ દ્રવ્ય પૂજા કરવાનો ઉપદેશ કરતા હતા અને પોતાનાં સાવદ્ય કર્તવ્યોનો બચાવ કરતા હતા. વજસ્વામીના સમય સુધી સાધુઓ પ્રાય: વનમાં રહેતા અને ગૃહસ્થોના પરિચયથી દૂર રહેતા હતા. વજસ્વામીના સમયની સ્થિતિ બહુ સારી નહિ ગણાય; ઉપરાઉપરી બધે બાર દુકાળી પડવાથી દેશની ખાસ કરીને ઉત્તર હિન્દુસ્તાનની પ્રજા અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી. ઉત્તર અને મધ્ય ભારતવર્ષની ઘણી વસતિ તે સમયમાં દક્ષિણ ભારત તરફ વળી હતી. જૈન સંઘની દશા પણ બહુ સારી ન હતી. દુષ્કાળની અસરોથી શ્રુતની પઠન પાઠન પ્રવૃત્તિ મંદ થઈ રહી હતી; ખરું જોતા સંઘની સ્થિતિ અસ્તાભિમુખ હતી. વજસ્વામીનું મુખ્ય વિહારક્ષેત્ર માલવો, મગધ, મધ્યહિન્દુસ્તાન અને વરાડ હતું. એ ઉપરાન્ત એકવાર , દુષ્કાળના સમયમાં સંઘની સાથે તેઓ પુરી (જગન્નાથપુરી) સુધી પણ ગયા હતા. વજસ્વામીની મુખ્ય પ્રવૃત્તિ ધર્મોપદેશ અને શ્રુત પાઠન હતું, એમના શિષ્યો ઉપરાન્ત પ્રસિદ્ધ અનુયોગધર આર્યરક્ષિતે એમની જ પાસે પૂર્વશ્રતનો અભ્યાસ કર્યો હતો. વજસ્વામીએ કોઈ ગ્રન્થો, પ્રકરણોની રચના કરી હતી કે નહિ તે જાણવામાં આવ્યું નથી; પણ તેમણે આચારાંગસૂત્રના મહાપરિજ્ઞાધ્યયનમાંથી આકાશગામિની વિદ્યાનો ઉદ્ધાર કર્યાનો ઉલ્લેખ શાસ્ત્રમાં મળે છે. એ સિવાય વજસ્વામીના સંબન્ધમાં મહત્વનો ઉલ્લેખ મહાનિશીથસૂત્રના ત્રીજા અધ્યયનમાં મળે છે; જેનો સાર એ છે કે પૂર્વે પંચમંગલ મહાશ્રુતસ્કન્ધ (પંચ નમસ્કાર) પૃથફ સૂત્ર હતું એની ઉપર ઘણી નિયુક્તિઓ, ઘણાં ભાષ્યો અને ઘણી ચૂર્ણિઓ હતી, પણ કાળદોષથી તેનો હાસ થતો ગયો, એ પછી મહદ્ધિ પ્રાપ્ત પદાનુસારી
SR No.006031
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri, Jaydarshanvijay
PublisherJinagna Prakashan
Publication Year2008
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy