SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અભયદેવસૂરિ એમના ગુરૂ જિનેશ્વરસૂરિ જ્યારે પહેલી વાર પાટણમાં ગયા ત્યારે પાટણમાં દુર્લભરાજનું રાજય હોવાનું પ્રબન્ધકાર લખે છે. જિનદત્તસૂરિ આદિ ખરતરગચ્છીય આચાર્યો પણ ગણધર સાર્ધશતક આદિમાં તે વખતે પાટણમાં દુર્લભરાજનું રાજ્ય બતાવે છે પણ ખરતર ગચ્છવાળાઓ એ પ્રસંગ સં. ૧૦૮૪ માં બન્યાનું લખે છે તે બરાબર જણાતું નથી, કારણ કે સં. ૧૦૮૪ માં પાટણમાં દુર્લભરાજનું નહિ પણ ભીમદેવનું રાજ્ય હતું. આ પ્રબન્ધમાં ચાવડા વનરાજને બાલ્યાવસ્થામાં આશ્રય આપનાર પંચાસરના ચૈત્યવાસી આચાર્ય દેવચન્દ્રસૂરિ બતાવ્યા છે, જયારે બીજા ઘણા પ્રબન્ધોમાં વનરાજના આશ્રયદાતા શીલગુણસૂરિ લખેલ છે, આ એક વિરોધ જણાશે પણ વાસ્તવમાં વિરોધ જેવું જણાતું નથી, કેમકે દેવચંદ્ર એ શીલગુણસૂરિના પટ્ટધર શિષ્ય હતા તેથી વનરાજને ઉછેરવાના કામમાં એમણે પણ વિશેષ લક્ષ્ય રાખ્યું હશે જ અને આ કારણે એ પણ વનરાજના પાલક જ ગણાય. પ્રબન્ધના લેખ પ્રમાણે અભયદેવના સમયમાં નવ અંગસુત્રો ઉપર કોઈ ટીકા નહોતી રહી તેથી અભયદેવે અભયદેવસૂરિના પોતાના જ લેખ પ્રમાણે તે વખતે સૂત્રો ઉપર પ્રાચીન ટીકાઓ વિદ્યમાન હતી. દાખલા તરીકે નવી ટીકાઓ બનાવી, પણ અભયદેવસૂરિ ભગવતીની ટીકામાં ભગવતી ઉપર તે વખતે બે પ્રાચીન ટીકાઓ હોવાનું લખે છે. એ જ પ્રમાણે બીજા સૂત્રો ઉપર પણ તે સમયે ટીકાઓ વિદ્યમાન હોવાના તેમના ઉલ્લેખો છે, આ પરિસ્થિતિમાં કાલવશાત ટીકાઓના નાશથી અભયદેવે શાસનદેવીના આદેશથી નવી ટીકાઓ બનાવી એ હકીકત દન્તકથા માત્ર ઠરે છે. - પ્રબન્ધના લેખનો ભાવ વિચારતાં અભયદેવે પત્યપદ્રનગર (પચપદરા-મારવાડ) માં ગયા પછી એ ટીકાઓ બનાવી હતી, પ્રબન્ધના બીજા ઉલ્લેખોથી પણ એ ટીકાઓ પાટણની બહાર બનેલી સિદ્ધ થાય છે પણ અભયદેવના પોતાના લેખથી એ હકીકત વિરુદ્ધ ઠરે છે, કારણકે તેમણે અનેક સ્થળે એ ટીકા પાટણમાં બનાવ્યાનો ઉલ્લેખ કર્યો છે અને પાટણના સંઘના અગ્રેસર દ્રોણાચાર્ય પ્રમુખ વિદ્વાનોએ એ ટીકાઓનું સંશોધન કર્યાનું તે લખે છે. દેવીએ આપેલ આભૂષણ ભીમરાજાને ભેટ કરવા અને તેણે ત્રણ લાખ દ્રમ્મ આપવા સંબન્ધી હકીકત પણ કેવલ દત્તકથા જણાય છે. કારણ કે ભીમદેવ સં. ૧૧૨૦ અથવા ૧૧૨૧માં પરલોકવાસી થઈ ગયો હતો, જ્યારે બધી ટીકાઓ સં. ૧૧૨૦થી ૧૧૨૮ સુધીમાં બની હતી એમ ટીકાઓના અન્તમાં આપેલ સંવતો ઉપરથી સિદ્ધ છે. પ્રબન્ધકાર શીલાચાર્યનું જ બીજું નામ કોટ્યાચાર્ય જણાવે છે, પણ આમાં કોઈ ઐતિહાસિક પ્રમાણ જણાતું નથી, વિદ્વાન શોધકોએ એ સંબન્ધમાં અનુસધાન કરવાની જરૂર છે. અભયદેવ સેઢી નદીને કાંઠે પ્રતિમા પ્રકટાવવા ગયા તે વખતે સાથે ૯૦૦ ગાડાં હતાં, પ્રતિમા સ્થાપન યોગ્ય દેહરાસર માટે ત્યાં ટીપ કરીને ૧૦OOOO એક લાખ દ્રમ્મ એકઠા કર્યા હતા અને ચૈત્યનું કામ શરૂ કરાવીને તે કામકાજના અધ્યક્ષ તરીકે મહેસાણાવાસી મલ્લવાદીના શિષ્ય આગ્રેશ્વરને ભોજન અને રોજનો ૧ દ્રમ્મ ઠરાવીને કામ કર્યા હતા. આગ્રેશ્વરે આહાર ભિક્ષાવૃત્તિથી લાવીને તે દ્રવ્ય બચાવ્યું અને તે વડે પોતાના નામની એક દેહરી બનાવી હતી. આ ઉપરથી જણાય છે કે પગારથી નોકરી કરવાની હદસુધી ચૈત્યવાસિઓ પહોંચી ગયા હતા.
SR No.006031
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri, Jaydarshanvijay
PublisherJinagna Prakashan
Publication Year2008
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy