SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ 198 શ્રી પ્રભાવક ચરિત્ર લે, તેમ આચાર્યે પોતાનું મુખ ફેરવી દીધું. એટલે પોતાના સ્વરૂપને ન જાણતી દેવી કહેવા લાગી કે– હે વત્સ ! તું મુખ કેમ ફેરવે છે, તારા મંત્ર જાપથી હું સંતુષ્ટ થઈને અહીં આવી છું, માટે વર માગ.' ત્યારે આચાર્ય બોલ્યા કે– હે માતા ! તારા આવા અનુચિત સ્વરૂપ તરફ હું કેમ દષ્ટિપાત કરું? તું તારું વસ્રરહિત શરીર જોઈ લે.” આ સૂરિના એ વચનથી પોતાના શરીર તરફ દૃષ્ટિ કરતાં તે દેવી વિચારવા લાગી કે “અહો ! આનું બ્રહ્મચર્ય કેટલું બધું દઢ છે કે મને આવી નગ્નાવસ્થામાં જોતાં પણ જેનું મન વિકૃત ન થયું ? એમ ધારી ભારે સંતોષથી આચાર્ય પાસે ઉપસ્થિત થઈ. એટલે વર માગવામાં પણ તેમને અત્યંત નિસ્પૃહ ધારીને આશ્ચર્ય પામતી સરસ્વતી કહેવા લાગી કે “મારા ગમનાગમનમાં તારી ઇચ્છા પૂર્ણ થતી હોય, તો સુખી રહે.' પછી શ્રી બપ્પભટ્ટિ મુનીશ્વરે ચૌદ અદ્ભુત શ્લોકથી આદર દર્શાવીને સ્તુતિ કરી. એ સ્તુતિને સુવર્ણકુંડલ સમાન માનતી દેવી અત્યંત સંતુષ્ટ થઈને કહેવા લાગી કે–“હે વત્સ ! તારે શું પૂછવાનું છે ? ત્યારે આચાર્ય બોલ્યા–“આ વાદી પોતાના બુદ્ધિબળથી બોલે છે કે બીજું કંઈ કારણ છે ?' એટલે દેવીએ જણાવ્યું કે–એણે મને સાત ભવથી આરાધી, તેથી મેં એને અક્ષય વચની (જેમાં વચનક્ષીણ ન થાય) ગુટિકા આપી છે. તે મુનીંદ્ર ! તે ગુટિકાના પ્રભાવથી એનું વચન સ્કૂલના પામતું નથી.' આથી સૂરિ ઉપાલંભ પૂર્વક સરસ્વતીને કહેવા લાગ્યા– જિનશાસનના વિરોધીને તું કેમ પોષે છે? કારણકે પૂર્વજો પાસેથી તો એમ સાંભળવામાં આવ્યું છે કે તું સમ્યગુદષ્ટિ છે.” દેવીએ કહ્યું- હું જૈનની વિરોધી નથી, હું તને એક ઉપાય બતાવીશ કે જેથી એ બુદ્ધાચાર્ય પરાજય પામે. તમે બધા સભાસદોને મુખશૌચ કરાવજો અને તે વખતે એને પણ મુખ શૌચ કરાવજો એટલે મુખમાંથી કોગળો બહાર કાઢતાં જો ગુટિકા પડી જાય, તો અવશ્ય તમારો વિજય થવાનો; પરંતુ તે બનાવેલ ચૌદ શ્લોક કદાપિ પ્રગટ ન કરવા, કારણ કે તે સાંભળતાં તો મારે સાક્ષાત્ આવવું પડશે. હે મુનીશ્વર ! હું કેટલા પુણ્યહીન પર પ્રસન્ન થાઉં ?' એમ કહીને સરસ્વતી દેવી અદૃશ્ય થઈ ગઈ. પછી આચાર્યે વાપતિરાજને દેવીનો આદેશ ગુપ્ત રીતે કહી સંભળાવ્યો. એટલે જળપાત્ર પાણીથી ભરી લાવીને તેણે સમસ્ત સભાને મુખશુદ્ધિ કરાવી અને તેમ કરતાં વર્તનકુંજરના મુખમાંથી ગુટિકા પડી ગઈ, ત્યારે ભાગ્ય હનની લક્ષ્મીની જેમ જળથી હડસેલાયેલી ગુટિકા તેના વદનમાંથી નીકળી જતાં, નિરંતર પરસ્પર વાદમાર્ગે જવાથી જાણે થાકી ગઈ હોય, અને વિશ્રાંતિ લેવા માગતી હોય; તેમ મુંગાની જેમ તે ભિક્ષની વાણી શાંત થઈ ગઈ. એટલે સભાસદો કહેવા લાગ્યા કે “ગુટિકાથી જ એનામાં બોલવાની તાકાત હતી, નહિ તો એ ભિક્ષુ બરાબર મુંગો અને બહેરા જેવો યથાર્થ નામધારી છે.” એ પ્રમાણે વાદીરૂપ કુંજરને જીતવામાં કેસરી સમાન બપ્પભટ્ટિસૂરિએ તેને જીતી લેતાં રાજાએ તેમનું વાદીકુંજરકેસરી એવું બિરુદ આપ્યું અને સર્વત્ર જય જયનાદ થઈ રહ્યો. એવામાં આમ રાજા પોતાના બળે વૈભવસહિત ધર્મ રાજાનું રાજ્ય લેવાને તત્પર થયો; કારણ કે જય પામનાર પોતાની પ્રતિજ્ઞાને કેમ મૂકે ? ત્યારે ગુરુ તેને કહેવા લાગ્યા કે મેં તો તમને પ્રથમ કહી દીધું છે કે આપણી સમક્ષ ધર્મરાજાએ જે રાજ્યની પ્રતિજ્ઞા કરી છે, તે તેના શિરેજ આવશે. હે રાજન ! તેના એ
SR No.006031
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri, Jaydarshanvijay
PublisherJinagna Prakashan
Publication Year2008
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy