SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ જ બોધવચન ૧ આહાર કરવો નહીં ૨ આહાર કરવો તો પુગલના સમૂહને એકરૂપ માની કરવો, પણ લુબ્ધ થવું નહીં. ૩ આત્મશ્લાઘા ચિંતવવી નહીં. ૪ ત્વરાથી નિરભિમાની થવું. ૫ સ્ત્રીનું રૂપ નીરખવું નહીં. ક સ્ત્રીનું રૂપ જોવાઈ જવાય તો રોગયુક્ત થવું નહીં, પણ અનિત્યભાવ વિચારવો. ૭ કોઈ નિંદા કરે તે ઉપર દ્વેષબુદ્ધિ રાખવી નહીં. ૮ મતમતાંતરમાં પડવું નહીં. ૯ મહાવીરનો પંથ વિસર્જન કરવો નહીં. ૧૦ ત્રિપદનો ઉપયોગ અનુભવવો. ૧૧ અનાદિનું જે સ્મૃતિમાં છે તેને વીસરી જવું. ૧૨ સ્મૃતિમાં નથી તે સંભારો. ૧૩ વેદનીય કર્મ ઉદય થયું હોય તો પૂર્વકર્મસ્વરૂપ વિચારી મૂંઝાવું નહીં. ૧૪ વેદનીયઉદય ઉદય થાય તો “અવેદ પદ નિશ્ચયનું ચિંતવવું. ૧૫ પુરુષવેદ ઉદય થાય તો સ્ત્રીનું શરીર ભિન્ન ભિન્ન કરી નિહાળવું, શાનદશાથી. ૧૩ ત્વરાથી આગ્રહ વસ્તુ તજવી. ત્વરાથી આગ્રહ “સ” દશા ગ્રહવી. ૧૭ પણ બાહ્ય ઉપયોગ દેવો નહીં. ૧૮ મમત્વ એ જ બંધ. ૧૯ બંધ એ જ દુઃખ ૨૦ દુઃખસુખથી ઉપરાંઠા થવું. ૨૧ સંકલ્પ-વિકલ્પ તજવો. ૨૨ આત્મ-ઉપયોગ એ કર્મ મૂકવાનો ઉપાય. ૨૩ રસાદિક આહાર તજવો. ૨૪ પૂર્વ ઉદયથી ન જાય તો અબંધપણે ભોગવવો. ૨૫ છે તેની તેને સોંપો. (અવળી પરિણતિ) છે તે છે પણ મન વિચાર કરવા શક્તિમાન નથી. ૨૭ ક્ષણિક સુખ ઉપર લુબ્ધતા કરવી નહીં. ૨૮ સમદષ્ટિમાં ગજસુકુમારનું ચરિત્ર વિચારવું. ૨૯ રાગાદિકથી વિરક્ત થવું એ જ સમ્યજ્ઞાન. ૩૦ સુગંધી પુગલ સૂંઘવા નહીં; સ્વાભાવિક તેવી ભૂમિકામાં ગયા તો રાગ કરવો નહીં.
SR No.006030
Book TitleShrimad Rajchandra Handbook
Original Sutra AuthorN/A
AuthorPayal J Shah
PublisherPayal J Shah
Publication Year2013
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy