SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ મહાનુભાવ મચિ યાને.... સમ્યગદર્શન સંપન્ન આત્માની માવના ભરત મહારાજા સમ્યગ્દષ્ટિ આત્મા હતા. “સભ્યનqતારના મતે = અવોરપી' એ આપ્ત વાક્ય પ્રમાણે સમ્યગ્દર્શન સંપન્ન આત્માઓ સંસારમાં રહે ખરા, પણ રમે નહીં. રહેવું અને રમવું એમાં આભ-ધરતી જેટલું અંતર છે. આ કારણે સંસાર તેમ જ સાંસારિક સુખના ગમે તેટલા વિપુલ સાધને પ્રાપ્ત થાય, છતાં એમાં એ ઉત્તમ આત્માને રમશુતા ન હોય. એ ધન્ય આત્માઓને તે મુક્ષિત અને તેનાં સાધનની પ્રાપ્તિમાં જ આનંદ હોય, એટલું જ નહિ, પણ જે લિંગ, વેષ અથવા આચારમાં મુક્તિનું સાધન ન હોય તેને પણ એ સમ્યગદષ્ટિ આત્માઓ વંદન પ્રમાદિ ન કરે. વંદન પ્રણાદિ ન કરવામાં વ્યકિત તરફ વિરેાધ નથી, પણ તેને વિપરીત વેવ તેમજ વિપરીત આચારે તરફ વિરાધ છે જે જેમ છે તેમાં તે પ્રમાણે માન્યતા કિંવા સદભાવ તેનું નામ સમ્યગ્દર્શન, તેથી વિપરીત મન્તવ્ય તેનું નામ “મિચ્છાદન સમ્યગ્દર્શન-મિથ્યાદર્શનની આ સંક્ષિપ્ત પણ યથાર્થ વ્યાખ્યા છે. આ વ્યાખ્યાના ભાવ પ્રમાણે મરિચિને વિડિક વેષ વગેરે કે જે વ્યવહાર દષ્ટિએ મેક્ષનું સાધન નથી તેના તરફ ભરતમહારાજાને કેમ સદ્ભાવ હોઈ શકે? બજારમાં કઈ પણ ચીજ વસ્તુ ખરીદવા માટે જનાર પરીક્ષક મનુષ્ય બનાવટી વસ્તુને સ્વીકારવા જેમ તૈયાર નથી હેતે, એ પ્રમાણે આત્મકલ્યાણને અભિલાષી આત્મકલ્યાણથી વિપરીત સાધનેને સ્વીકારવા કેમ તૈયાર થાય ?
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy