SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ નયસારને ભવ. ૧૫ જન્મ લીધા બાદ શરીર અવશ્ય તૈયાર થાય છે. શરીરની પાછળ તે જાતિને એગ્ય ઈદ્ધિ પ્રાપ્ત થાય છે, અને ઇન્દ્રિય પ્રાપ્ત થયા બાદ તેને અનુકુળ વિષની પ્રાપ્તિમાં સુખની કલ્પના તેમજ પ્રતિકૂળ વિર્ષની પ્રાપ્તિમાં દુઃખની કલ્પના ખડી થાય છે. સુખની કલ્પના આત્મામાં રાગ ભાવ પ્રગટ કરાવે છે. દુઃખની કલ્પના આત્મામાં ઠેષ ભાવ પ્રગટ કરાવે છે, અને એ રાગ દ્વેષ દ્વારા પુનઃ નવાં કર્મ બંધાતા જાય છે. બીજમાંથી ફળ અને ફળમાંથી બીજની માફક અથવા ઇંડામાંથી કુકડી અને કુકડીમાંથી ઈંડાંની માફક રાગ-દ્વેષ રૂપી ભાવકર્મથી દ્રવ્યકર્મ, અને દ્રવ્યકર્મથી ભાવકર્મ. આ પ્રમાણે કર્મપ્રવાહને કારણે જન્મ, જરા, મરણ, આધિ-વ્યાધિ, રંગ, શેક, સંતાપ વગેરે દુઃખોથી ભરપૂર સંસારમાં પરિભ્રમણ પણ કાયમ અવસ્થિત રહે છે.” માનવ જીવનને સફળ બનાવવા માટે શું કરવું જોઈએ? મહાનુભાવ! ઈન્દ્રિયના વિષયેની અનુકૂળતા પ્રતિકૂળતામાં સુખ-દુઃખની કલ્પના કરવી એ ભયંકર અજ્ઞાન ભાવ છે. ખરું સુખ આત્માના ગુણોની અનુકુળતામાં જ છે. આત્મામાં પિતાના જ્ઞાન-દર્શન ચારિત્ર ગુણોને કારણે જે અનંત સુખ ભર્યું છે, તે અખિલવિશ્વના સમગ્ર ભૌતિક સુખને એકઠું કરવામાં આવે તે પણ આત્મિક સુખના એક અંશની તુલનામાં તે સુખ આવી શકે તેમ નથી. ભૌતિક સુખ જીવનમાં ગમે તેટલું પ્રાપ્ત થાય છતાં તે સુખ ક્ષણ વિનાશી છે. જ્યારે આત્મિક સુખ અવિનાશી છે. ભૌતિક સુખની
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy