SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ પ્રથમ નયસારને ભવ.... wwws આવી. પરંતુ ભજનને પ્રારંભ થાય એ પહેલાં આપણું નયસારે પિતાના માણસોને સંબોધીને ઉરચાર્યું કે આવા નિર્જન પ્રદેશમાં આપણે જોજન કરવા બેઠા છીએ, એટલે કે ઈ સંત સાધુ-અતિથિ કે પ્રાણાની આશા કયાંથી રખાય ! ઘરના આંગણે તે નયસારને લગભગ એ નિયમ હતું કે કોઈ સંત સાધુના પાત્રમાં અથવા દીન-દુઃખીને મુખમાં ભેજન આપ્યા સિવાય મુખમાં અન્ન ન નાખવું, પણ આ તે જંગલ હતું, વિકટ અટવીને પ્રદેશ હતા. આવા નિર્જન વનવગડાના સ્થાનમાં સંત સાધુ કે સુપાત્રની આશા ક્યાંથી રખાય ? છતાં હૈયામાં રહેલી એ સુંદર ભાવને તે જરૂર પ્રગટ થાય ! હૈયું જરૂર અંતરમાંથી અવાજ આપે કે આજે કમભાગી છું જે સંત સાધુ અથવા કોઈ માનવબંધુની ભકિત-સેવા વિના વાંઝિયું અન્ન ખાવાને પ્રસંગ આવ્યું છે. આપણું નયસાર એ ભાવના ભાવી રહ્યા હતા, એટલું જ નહિ પણ કકડીને સુધા લાગેલી હોવા છતાં ઉભા થઈ પાંચ-દશ મિનિટ ચારેય દિશામાં કઈ સંત સાધુની પધરામણી માટે પ્રતીક્ષા કરવા લાગ્યા. ઉત્તમ આત્માઓની ભાવનાઓ જેમ ઉત્તમ હોય છે, તે પ્રમાણે તેઓનું પુન્યબલ ઘણું ઉચ્ચકક્ષાનું હોય છે. અને એ પુન્યબલના પ્રભાવે તેમના ઉત્તમ મરથે પણ સહજ રીતે પૂર્ણ થાય છે. ચારે ય દિશામાં પ્રતીક્ષા કરી રહેલા ગ્રામમુખી નયસાર પણ ઉત્તમ આત્મા હતા ભેજન કરતાં સાધુ સંતની ભકિત તેમને વધુ વહાલી હતી. તેમને પ્રબલ પુન્યોદયે અતિવિકટ અટવીના પ્રદેશમાં રસ્તે ભૂલી જવાના કારણે
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy