SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ નયસારને ભવ...... છે, અને જે જીવાત્માઓમાં પરમાત્મદશા તેમજ તેના અંતરંગ સાધને સમ્યદર્શન વગેરે પ્રાપ્ત કરવાની થેગ્યતા હવા સાથે પાદરપણું, સપનું, પંચેન્દ્રિપણું, વિચાર શક્તિ, મનુષ્યત્વ વગેરે બહિરંગ વિકાસક્રમની પણ ગ્યતા છે તેવા આત્માઓને “ભવ્યાત્માના નામથી સંબોધન કરવામાં આવેલ છે. ભવ્યાત્મા હોય તે જ પરમાત્મા થાય બીજમાં ઉગમ શક્તિને જે અભાવ હોય તે કાળી માટી તેમજ પાણી વગેરે વિપુલ સાધને મળવા છતાં ફળ પ્રાપ્તિ નથી થતી. વીજમાં ઉદ્દગમ શક્તિ હોવા છતાં ઉગમશક્તિના વિકાસ માટે બાહ્ય સાધન માટી તેમજ પાણીનાં યથાયોગ્ય સાધન ન મળે તે પણ એ ઉદ્દગમશક્તિ ફળસ્વરૂપે પ્રગટ થતી નથી. બીજમાં ઉગમશક્તિ હોય અને સાથે એ શક્તિના વિકાસમાં સહાયક અનુકૂળ બાહ્ય સાધને હોય તે તે બીજમાં વર્તતી શક્તિ ફળસ્વરૂપે પ્રગટ થતી પ્રત્યક્ષ અનુભવાય છે. જીવાત્મા માટે પણ આ જ વ્યવસ્થા છે. અભવ્ય જીવાત્મામાં ઉદ્દગમશક્તિને જ અભાવ છે. તેથી તે અભવ્ય આત્માઓ મનુષ્યત્વ, વિચારશકિત, દેવ ગુરૂની સામગ્રી વગેરે અનુકૂળ બાહ્ય સાધને મળવા છતાં ઉદ્ગમશક્તિને અભાવ હોવાથી પરમાત્મદશાને પ્રગટાવી શકતા નથી. જાતિભવ્યમાં ઉગમશક્તિ છે, પણ ભવિતવ્યતાને કારણે મનુષ્યત્વ વગેરે શક્તિવિકાસના બાહ્ય સાધને તેને મળતાં નથી. જયારે
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy