SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ચ્યવન કલ્યાણકનો પુણ્ય પ્રભાવ ૨૭૫ વસ્થામાં તે ભાગ્યવંત સ્ત્રી અથવા પુરૂષને સ્વપનશાસ્ત્રના નિયમ પ્રમાણે ઉત્તમ સ્વપ્નો આવે છે. અને એવાં ઉત્તમસ્વપ્ન આવ્યા બાદ જાગૃત થયા પછી શેષરાત્રિ જે રીતે આનંદપૂર્વક ધર્મધ્યાનમાં પસાર કરવી જોઈએ તે રીતે પૂર્ણ કરવામાં આવે તેમજ સૂર્યોદય થાય એટલે પરમાત્માનાં દર્શન, પૂજન, વાચકોને દાન વગેરે સુકૃતની પ્રવૃત્તિ કરવામાં આવે તે તે મહાનુભાવને રાત્રિએ આવેલાં ઉત્તમ સ્વપ્નનું ફળ મર્યાદિત સમયમાં અવશ્ય પ્રાપ્ત થાય છે. . કર્મનો ભોગવટો બે પ્રકારે, - વિપાકેદયથી અને પ્રદેશેાદયથી - જૈન દર્શનમાં પૂવસ્થામાં બંધાએલા શુભઅશુભ કર્મનો ઉદય (કર્મના ફળને ભેગવટ) બે પ્રકારે કહેલ છે. વિપકોયથી અને પ્રદેશદયથી. જે કર્મનું જે ફળ હોય તે કર્મનું તે ફળ યથાર્થ ભેગવવું, તેનું નામ વિપાકેદય અને જે કર્મનું જે ફળ છે તેને તે પે યથાર્થ જેવટને અનુભવ ન થવે, એમ છતાં મંદપણે શુભ અશુભ સ્વપ્ન દર્શને વગેરે પ્રકારે ભગવટો કે તેનું નામ પ્રદેશદય છે. તીર્થ કર ભગવંતને તીર્થકરના ભવમાં સંયમ ગ્રહણ કરવા પછી કેવલજ્ઞાન-કેવલદર્શનની પ્રાપ્તિ થવી અને સમવસરણ તથા કઈવાર સુવર્ણ કમળ ઉપર બિરાજમાન થઈ ગ્લાનિરહિત જનગામિની ધર્મદેશના આપવી તેમજ ધર્મતીર્થની સ્થાપના થવા સાથે તેનું પ્રવર્તન પિતાની હયાતી સુધી ચાલ રાખવું એ તીર્થકર નામકર્મનું યથાર્થ ફળ છે. એ કારણે જ એવંભૂત નય (સર્વ શુદ્ધનય)ની અપેક્ષાએ તીર્થંકરભગ
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy