SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ નંદનમુનિવરની અંતિમ આરાધના ૨૪૫ શ્ચિત-વિનય વૈયાવચ્ચ વગેરે છ પ્રકારના અત્યંતર તપ કરવા માટેની અનુકૂળતા હોવા છતાં એ ઉભય પ્રકારના તપની આચરણથી હું વંચિત રહો, ઉપરાંત તપની આચરણ પ્રસંગે જે રીતે આચરણ કરવી જોઈએ તે રીતે મેં આચરણા ન કરી, વગેરે કારણે મને તપાચારમાં જે કંઈ અતિચારાદિ લાગેલ હોય તેને હું વારંવાર મિચ્છામિ દુક આપું છું. એ જ પ્રમાણે ધર્માનુષ્ઠાનના વિષયમાં જે રીતે મારે વાલ્લાસ હવે જોઈએ તે વિલાસમાં જે કાંઈ ખામી આવેલ હોય તેને પણ ત્રિકરણગે હું વારંવાર મિચ્છામિ દુક્કડં આપું છું. | સર્વ જીની સાથે ક્ષમાપના મારા વર્તમાન જીવનમાં તેમજ આજ સુધીમાં થયેલા પૂર્વ ભવમાં નારકી, તિર્યંચ, મનુષ્ય તેમ જ દેવે પૈકી કઈ પણ જીવને મેં હણેલ હેય, પરિતાપ ઉપજાવેલ હોય, ચાવતુ કેઈપણ પ્રકારનું દુખ જાણતાં અજાણતાં અપાયું હોય અને કેઈપણ જીવની સાથે મનેગ, વચનગ તેમજ કાયયેગ વડે વૈર-વિધિ થયેલ હોય તે સર્વની સાથે હું ક્ષમાપના કરું છું. હવે પછી મને કેઈપણ જીવની સાથે વૈર-વિરોધ નથી, અને વિશ્વના સર્વ જીવ પ્રત્યે મારે સંપૂર્ણ મૈત્રીભાવ છે. અનિત્ય અશરણ વગેરે બાર ભાવનાઓનું ચિંતન મનન શરીર તેમજ અન્ય સર્વ પૌગલિક ભાવેના સંબંધ અનિત્ય સગી છે, ક્ષણિક છે. વર્તમાન જીવનમાં તેમજ
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy