SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) શ્રી નંદનમુનિવરની વિંશતિસ્થાનકની આરાધના અને વિશતિસ્થાનકના એક એક પદનું સ્વરૂપ સામાન્ય રીતે વિચારીએ તે તીર્થકર નામકર્મના બંધનું કારણ શ્રી વિંશતિસ્થાનક તપની આરાધના છે. પણ વિશિષ્ટપણે વિચારીએ તે વિંશતિસ્થાનકની આરાધના સાથે ભાવદયાની પ્રધાનતા એ જ તીર્થંકર નામકર્મના બંધને મુખ્ય હેતુ છે. વિંશતિસ્થાનના વીશ પદમાં પ્રથમ શ્રી અરિહંત પદ . અરિહંત પદની સાથે ભાવદયાને અનન્ય સંબંધ છે, ભાવદયાની પરકાષ્ઠાના કારણે જ અરિહંત પદની પ્રાપ્તિ થાય છે અથવા ભાવદયાની પ્રધાનતા એ કારણ છે અને અરિહંત પદ એ કર્યું છે. અરિહંત પદ સિવાયના બાકીના ઓગણીશ પદનું ઉત્પત્તિ સ્થાન પણ અરિહંત પદ છે. તે ઉપરાંત એ એગણીશેય પદનું જે રીતે ઊંડા થી ચિંતન મનન કરવું જોઈએ તે રીતે કરવામાં આવે તે તે સર્વ પદે પણ ભાવદયાની પ્રધાનતાથી સંકળાયેલા છે. એમ છે તે જ વિશે ય પદેની અથવા વશમાંથી કઈ પણ એક અથવા બે પદની ત્રિકરણ યોગે આરાધના કરનાર મહાનુભાવ તીર્થંકર નામકર્મ નિકાચિત બંધ કરી ત્રીજે ભવે અરિહંત પદ પ્રાપ્ત કરે છે. શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના આત્માએ પિતાના સ્થૂલ સત્તાવીશ જે પૈકી પચીશ્રી લ. ભ. ૨૫
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy