SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ શ્રમણ ભગવાન મહાવીર તાનું આસાધારણ કારણ સમ્યજ્ઞાનપૂર્વક કરેલી તપસંયમની આરાધના છે. એક કેડ વર્ષના ચારિત્ર પર્યાયમાં પ્રમત્ત અપ્રમત્ત ગુણસ્થાનકને કાળ પ્રિય મિત્ર-ચક્રવર્તી અત્યાર સુધી ડ્રિગલિક સુખના સ્વામી તેમજ ચકવર્તી હતા. ચારિત્ર ગ્રહણ કર્યા બાદ સમ્યજ્ઞાનપૂર્વક તપ-સંયમની આરાધનાના કારણે નિરંતર કષાયની મંદતા થતી હોવાથી અને ઉત્તરોત્તર વૃદ્ધિવાળી સ્વરૂપમણુતા પ્રાપ્ત થતી હોવાથી હવે એ પ્રિય મિત્ર મુનિવર આત્માના સ્વામી કિંવા સમ્રાટુ બનતા જાય છે. પરંતુ હજુ આ ભવમાં ને આ ભવમાં યથાખ્યાત ચારિત્ર માટે પુરુષાર્થ પ્રગટ થાય એ વહેંલાસ પ્રાપ્ત થતું નથી. એક ક્રેડ વર્ષના ભાવ ચારિત્ર પર્યાયમાં પ્રમત્ત અને અપ્રમત્ત (ઇ, સાતમા) ગુણસ્થાનકમાં ગમનાગમન ચાલ છે; તેમાં પણ પ્રમત્તગુણસ્થાનકના કાળનું પ્રમાણ ઘણું વધારે છે; જ્યારે એક ફ્રોડ વર્ષના ચારિત્રપર્યાયમાં એ પ્રિયમિત્ર રાજપિ ને વારંવાર પ્રાપ્ત થતા અપ્રમત્ત ગુણસ્થાનકને બધો કાળ ભેગા કરતાં પણ એક અંતર્મુહૂર્ત એટલે થાય છે, ચોવીસમા ભવે શુક નામના દેવલોકમાં અવતાર આ પરિસ્થિતિમાં પ્રમત્ત ગુણસ્થાનકે વર્તતા પ્રિય મિત્ર મુનિવર દેવગતિના આયુષ્યને બંધ કરે છે અને એકંદર ચોરાશી લાખ પૂર્વ નું આયુષ્ય પૂર્ણ થતાં વૈમાનિક નિકાય પૈકી શુકનામના સાતમા દેવલેકે સર્વાર્થ નામના વિમાનમાં પ્રિય મિત્ર મુનિવરને આત્મા =દ્ધિવંત દેવ તરીકે વીશમા ભવમાં ઉતપન થાય છે.
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy