SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ એક ભવમાંથી બીજા ભવમાં ઉત્પન્ન થવાનું કારણ ૧૬૧ વવાના બાકી છે તે આત્માને પોતાના ચાલુ ભવ દરમ્યાન બંધાયેલા ગતિનામકર્મ તેમજ આયુષ્યકર્મના અનુસારે તે તે ગતિમાં અવશ્ય ઉત્પન્ન થવું પડે છે. એક ભવમાંથી બીજા ભવમાં જતાં આત્માને કેટલે કાળ લાગે? વિમલરાજાએ બાવીશમા ભવમાં મનુષ્યગતિનામકર્મ તથા મનુષ્યના આયુષ્યને બંધ કર્યો હતો. જે બાબત આગળના પ્રકરણમાં રીતસર વિવેચનપૂર્વક સમજાવાયેલ છે. એ બંને કર્મોના અનુસાર તેમજ બીજી વિશિષ્ટ પુણ્ય પ્રકૃતિના કારણે ભગવાન મહાવીર પ્રભુને આત્મા વિમલમુનિના ભવમાંથી ધારિણી માતાની કુક્ષિમાં પુત્રરત્ન તરીકે ઉત્પન્ન થયે છે. ચાલુ ભવનું આયુષ્ય પૂર્ણ થયા બાદ નિશ્ચિત થયેલ ઉત્તિસ્થાને પહોંચતાં આ આત્માને જુગતિની અપેક્ષાએ એક સમય અને વિગ્રહગતિ (કાગતિની અપેક્ષાએ બે-ત્રણ-ચાર અથવા કોઈવાર પાંચ સમય લાગે છે. જેનદર્શનમાં કાળની વ્યાખ્યા આપવામાં આવેલ છે તે પ્રમાણે આંખના એક પળકારામાં અસંખ્યાતા સમય પસાર થાય છે. સમય એ કાળને નિર્વિભાજ્ય વિભાગ છે. હજુ અહિં આ ડેકટર-વૈદ્ય વગેરેની પાસે શરીરમાં ચેતના છે કે કેમ? તેની ખાત્રી કરવાની હોય એ દરમ્યાન આત્મા તે આયુષ્યકર્મના દલિકોના ભેગવટાની પૂર્ણાહુતિના કારણે આ શરીરને ત્યાગ કરી ઉપર જણાવવા મુજબ એકબે અથવા ત્રણ વગેરે સમયમાં ઉત્પત્તિસ્થાને પહોંચી ગયા હોય છે. શ્ર - મ. ૧૯
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy