SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ અકુશલાનુબંધની પરંપરાને અંત ૧૪૩ એમ છતાં એક વાત નિશ્ચિત છે કે વિશ્વભૂતિ મુનિ તરીકેના ૧૬ મા ભવમાં નિયાણાના પાપ દ્વારા અકુશલાનુબંધનું જે બીજારોપણ થયું હતું, તેની પરંપરાનો અંત ૨૧ માં ચોથી નરકના ભવ સુધી નથી આવ્યું. અને એ અકુશલાનુબંધની પરંપરાને અંત ન આવે ત્યાં સુધી કુશલાકુશલાનુબંધ તેમજ કુશલાનુબંધને અનુકૂળ યંગ પ્રાપ્ત થાય નહિ. આવા કારણે જ અકુશલાનુબંધની પરંપરાને અંત થવામાં નિમિત્ત રૂપે સહાયક બનતા તિર્યંચાદિ અનેક ભાવે એકવીશમા ભવ પછી પણ ભગવંતના આત્માને કરવાને પ્રસંગે પ્રાપ્ત થયેલ છે. અકુશલાનુબંધની પરંપરાને અંત જે જીવ અનાદિકાળથી મિથ્યાદષ્ટિ છે, અને હજી ચરમાવર્તમાં આવ્યું નથી. એ આત્મા તે સંસારમાં ગમે તે ગતિમાં ઉત્પન્ન થાય તે પણ તેને અકુશલાનુબંધની જ પરંપરા ચાલે છે. પરંતુ જે આત્મા શરમાવર્તમાં આવવા સાથે એકવાર સમ્યગ્દર્શન પામી ગયા છે, તે આત્માને પણ કોઈવાર પ્રતિકુલ નિમિત્ત મળતાં અકુશલાનુબંધનું બીજારોપણ થવા સાથે અનેક ભવો પર્યત તેની પરંપરા ચાલે છે, પરંતુ પાંચ-સાત કે અમુક ભવો બાદ એ અકુશલાનુબંધની પરં. પરાને અંત અવશ્ય આવે જ છે.
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy