SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમે ભવ ત્રિપૃષ્ઠ -વાસુદેવ ૭૯ ત્રિખંડ સામ્રાજ્યને ભેટતા બને, સેળ હજાર સામંતરાજાએ તેની આજ્ઞાને શિરોમાન્ય કરનારા હોય, સાત રત્નની પણ તેમને પ્રાપ્તિ થાય. તે કાળના માનવીઓમાં સર્વથી વધુ કાયાબલ તેમને વર્તતું હોય અને બધી ભેગોપગની સામગ્રી પાછળ મસ્ત બની અનેક પ્રકારના પાપાચરણે સેવી નરકમાં ચાલ્યા જાય. વાસુદેવ માટે શાસ્ત્રકથન આ પ્રમાણે છે. પ્રતિવાસુદેવ અને વાસુદેવ બંને પરસ્પર પૂર્વ જન્મના અવશ્ય વૈરી હોય છે. પ્રતિવાસુદેવ પિતાની શકિતથી વર્ષે પર્યત અનેક પ્રકારની જહેમત ઉઠાવી ત્રણ ખંડનું એશ્વર્ય ભેગું કરે, પણ પિતાને એ એશ્વર્યને ભોગવટ કરવાને સમય આવે તે પહેલાં જ યૌવનવયે પહોંચેલા વાસુદેવ ગમે તે કારણે પ્રતિવાસુદેવ સાથે રણગ્રામ કરી, તેના ચકવડે તેને શિરછેદ કરી, પ્રતિવાસુદેવને યમસદનનો અતિથિ બનાવે, અને રૌદ્રધ્યાનમાં પરવશ બનેલે પ્રતિવાસુદેવ નરકગતિમાં ચાલ્યા જાય. બલદેવ અને વાસુદેવ બંને સગા ભાઈ હોય. બંનેનાં પિતા એક, પણ માતાએ જુદી જુદી હોય, એમ છતાં બંને-ભાઈઓમાં અનન્ય સ્નેહસંબંધ વર્તતે હેય એકબીજા એકબીજા વિના રહી ન શકે એટલી પરસ્પર પ્રીતિ હોય પરંતુ બંનેના અંતરંગ જીવનમાં આભ-જમીનનું અંતર હોય છે. વાસુદેવનું જીવન જેટલું પાપમાં પરાયણ હોય છે, તેટલું જ બલદેવનું જીવન ધર્મપરાયણ હોય છે. એટલું જ નહિં, પણ અવસરે બલદેવને આત્મા વૈરાગ્યરંગથી રંગાય છે અને દીક્ષા ગ્રહણ કરે છે. જ્ઞાન, દયાન અને સંયમતપની આરાધના કરી સકલકર્મને
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy