SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ આનંદઘન પદ - ૪ ઉઠે છે અને પારકું ઘર સમજી સુપરસોનીક જેટ વિમાનની ગતિએ નિર્જરવા માંડે છે. મોક્ષે જવા માટે આજ ઉપાય છે. વીપ્રભુએ ચારિત્ર લીધા પછી ૧ાાં વર્ષની ઘોર સાધનામાં બહારનું બધુંજ જોવાનું બંધ કરી, માત્ર પોતાની આંતરિક પ્રકૃતિનેજ જો જો કર્યા કર્યું હતું તો ઉપયોગશુદ્ધિના માહાભ્યથી ૧૨ વર્ષના અંતે તેમના આત્માના આકાશે કેવલજ્ઞાનનો વિજયધ્વજ ફરકયો હતો. આ પદ પાઠકને બોધ આપે છે કે દેવાલયમાં રહેલ દેવાધિદેવના આલંબનથી દેહાલયમાં રહેલ દેવાધિદેવની સાથે આત્માનુભૂતિનું એકત્વ સાધ કે જેથી તારી મતિ સુમતિ, વિચાર સુવિચાર, ઈચ્છા સદીચ્છા, કૃતિ સુકૃતિ બને અને મન સુમન બની અમન થઈ અક્ષય, અક્ષર, અવિનાશી એવાં * અજરામર પદને પામે. વાયભીરૂતા આવ્યા વિના માનવતા iીં આવે ભાવભીરૂતા આવ્યા વિના મોક્ષયિ iીં આવે. અષ્ટાંગ યોગ - પાતંજલ દ્વારા રચવ (૧) યમ (૨) નિયમ (૩) બારાત (૪)પ્રાણાયામ (૫)પ્રત્યાહાર (૬) ધારણા (૭) દયાળ અને (૮) સમાધિ... આ સર્વમાન્ય છે. યમ-નિયમ એ સંન્યાસ છે. આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર એ મહવારાનો જોગ છે. ધારણા, ધ્યાન અને રામાથિ વરવાસ આત્મચ્ચિતતા છે. એક એક યોગથી એકેક દોષ જાય છે અને એક એક દષ્ટિનો ઉધાડ થાય છે. પૌગલિક પદાર્થમાં જીવને તેની કિંમત સમજાઈ તેના જેવો પાપોદય એકેય નથી.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy