SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ પદ ૪૪ (૨ાગ - ટોડી) तेरी हुं तेरी हुं हुं री, इन बातमें दगो तुं जाने । तो करवत काशी जाय ग्रहूं री ॥ આનંદઘન પદ वेद पुरान किताब कुरान में, आगमनिगम कछु न लहुंरी । वाचाफोर सिखाइ सेवनकी, में तेरे रसरंग रहुंरी ॥ રી..! · ૪૪ 11911 તેરી. રા જ્ઞાનને જ્ઞેય જગત સાથે સંબંધ નથી પણ જ્ઞાતા સાથે સંબંધ છે. मेरे तो तुं राजी चाहिये, औरके बोल में लाख सहुंरी । आनन्दघन पियावेगे मिलो प्यारे, नहींतो गंगतरंग बहुंरी ॥ तेरी. ॥३॥ યોગીરાજની પદરચનાની શૈલી નાટકીય છે, કારણ કે આખોય સંસાર એક નાટક છે, જે સંસારના રંગમંચ ઉપર સંસારીઓ દ્વારા પ્રત્યેક પાત્રની વ્યકિતગત પુણ્ય પાપની લીલાથી અને સમષ્ઠિના પોતાના આગવા પુણ્ય પાપની લીલાઓ વડે નિરંતર ભજવાયા કરે છે. તેથી જ કવિશ્રીએ આપણને નાટકના પાત્ર ગણી એમની લાક્ષણિક નાટકીય ઢબે આવી પદરચનાથી સ્વયંની મનોદશા અભિવ્યકત કરવા પૂર્વક હિતોપદેશ વહાવ્યો છે. આ દ્વારા લોકો અધ્યાત્મમાર્ગ તરફ વળે એવો એઓશ્રીનો ઊંચો આશય છે. પરંતુ એમની આ ગૂઢ રચનાને સમજનારા અને એના મર્મ લક્ષ્યાર્થ સુધી પ્હોંચી બોધ પામનારા અને બોધને પચાવનારા જે કોઈ હોય તે આ કાળના વિરલપુરુષ જ હોઈ શકે છે. જો કે ખરેખર તો વ્રત, તપ, જપ, નિયમ, ભક્તિ, પ્રાર્થના રૂપ ધર્મારાધના આરાધકને આરાધવા યોગ્ય છે પણ બુદ્ધિમાં અજ્ઞાન અને અહંકાર વર્તતો હોવાના કારણે એ અવળી સમજ, જેને જડતા અને વક્રતા પણ કહી શકાય, ધર્મના રહસ્યને એના સાચા પરિપ્રેક્ષ્યમાં સમજવા દેતી નથી અને આંતરિક સાધનામાર્ગમાં શંકા-કુશંકા - તર્ક-વિતર્ક કરી મિથ્યાત્વ શલ્ય તરફ ઘસડી જાય છે. અહંકારી બુદ્ધિના કારણે મહાપુરુષોની આત્મહિતકર વાણી સમજાતી નથી. વૃક્ષો પોતાના ફળ, ફૂલ, પાન, છાલ, લાકડા આદિ સર્વથી બીજાઓને
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy