SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘન પદ - ૨૯ પરમાત્મપદના પરમ (સર્વોચ્ચ) મહારસને એટલે કે પરમ પ્રશાંતતાના અને પરમાનંદના પરમ મહારસને ચાખનારો - આસ્વાદનારો હશે. · ૨૦૭ . પોતાના નાભિકમલ - મણિપુરચક્રમાં આઠ રૂચક પ્રદેશે એટલે કે પોતાના કૂવામાં જ પરિપૂર્ણ રહેલ અમૃતરસની છોળોથી પોતાના એક એક આત્મપ્રદેશ જે અસંખ્યાત છે તેને છલોછલ કરીને એ મહારસને પૂરેપૂરો ભરપૂર માણશે. પરંતુ પહેલાં તો એ મહાત્મા એ મહારસને ચાખશે. એ મહારસને ચાખવાને પણ તે જ નરરત્ન ભાગ્યશાળી બનશે કે જે શુદ્ધ ચિત્ત હશે, જીવન જેનું પવિત્ર હશે, જે શોધક - ચિંતક - વિચારક હશે તે તેના ત્યાગ વૈરાગ્ય અને જ્ઞાનઘ્યાનની પ્રબળતા તીવ્રતાના પ્રમાણ અનુસાર ચાટણ પામશે. ચાટણથી આસ્વાદિત થયેલો પછી એ પૂરેપૂરું માંગશે. નયવિમલવિજયજીએ પણ ગાયું છે..... આગમ તે જિનવર ભાખીયો, ગણધર તે હઈડે રાખીયો; તેહનો રસ જેણે ચાખીયો, તે હવો શિવસુખ સાખીયો. નહીં હમ પુરુષા નહીં હમ નારી, વરન ન ભાત હમારી; જાતિ ન પાંતિ ન સાધન સાધક, નહીં હમ લઘુ નહીં ભારી. અવધૂ...૧. મારો એ ભગવત્ પુરુષ તો પૂરેપૂરાથી જ રુષ્ટ, પુષ્ટ અને તુષ્ટ થનારો પુરુષ - આત્મા છે. જે પૂરેપૂરાની એષણા રાખે છે - પૂર્ણતાનો જ જે ઈસુક (ઈચ્છુક) છે તે પુરુષ છે. પૂર્ણતા એનું સ્વરૂપ છે તેથી એ સર્વત્ર પૂર્ણતા જ ઈચ્છે છે અને પૂર્ણતાને જ શોધે છે. એ નથી તો નર (પુરુષ) એ નથી તો નારી (સ્ત્રી) કે નથી તો એ નાન્યતર (નપુસંક). નવમાં ગુણસ્થાનકે લિંગ રહે છે પણ વેદ નથી રહેતો. અર્થાત્ આકૃતિ રહે છે પણ વેદનો ઉદય નથી હોતો. નથી તો એ ગોરો, કાળો, પીળો કે ઘઉં વર્ણો, ન એનો કોઈ રંગ (વરન-વર્ણ) છે કે ન કોઈ એની ભાત (ડીઝાઈન) અર્થાત્ ભાતીગળતા. વર્ણ પણ નથી, છાપ પણ નથી અને છપાઈ પણ નથી. ક્તિ પ્રાપ્ત સંપત્તિ કે પુણ્યોદ્યથી મહાન નથી પણ ગુણોથી મહાન છે.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy