SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃતવેલની સજ્ઝાય ૩૫ સિવાય તારાં કરેલાં પાપોને બીજુ કોઈ જાણતું નથી. માટે સાચા દિલથી તું જ યાદ કરી કરીને પશ્ચાત્તાપ કર, જેમ જેમ પોતાનાં પાપોને યાદ કરીને તું તે પાપોની નિંદા કરીશ તેમ તેમ આત્માની શુદ્ધિ થશે. ફરીથી આવાં પાપો નહીં કરવાનું મન થશે. કરેલાનો પસ્તાવો થશે. આમ સંવરધર્મની વૃદ્ધિ થશે. આવતાં કર્મોને અટકાવવાં રોકવાં તે સંવર, પાપો ન કરવાથી સંવરની વૃદ્ધિ થાય અને કરેલાં પાપોની નિંદા કરવાથી નિર્જરા થાય. સંવર અને નિર્જરાની વૃદ્ધિ થતાં આ આત્મા કર્મોનો ક્ષય કરીને મુક્તિગામી બને. આ રીતે ચાર પ્રકારનાં શરણાં સ્વીકારવાથી તું સુરક્ષિત થા. શુદ્ધ ભાવનાઓ ભાવવાથી સાંસારિક ભાવોમાંથી વૈરાગી બન. પોતાનાં જ કરેલાં પાપોની નિંદા કરીને તેવાં પાપોથી વિરામ પામ. પાપોથી અટકવા દ્વારા સંવરધર્મની વૃદ્ધિ કર, માનવજીવનમાં આ જ હિતશિક્ષા રૂપી અમૃતની વેલડી ઉગાડવા જેવી છે. ગાલા ઈહભવ પરભવ આચર્યાં, પાપ અધિકરણ મિથ્યાત્વ રે । જે જિન આશાતનાદિક ઘણાં, નિંદીએ તેહ ગુણધાત રે II ચેતન ! જ્ઞાન અજુવાળીએ ૧૦ના ગાથાર્થ :- આ ભવમાં તથા પૂર્વભવોમાં જે જે પાપકારી અનુષ્ઠાનો કર્યાં હોય, તથા મિથ્યાત્વાદિ દોષો સેવ્યા
SR No.006023
Book TitleAmrutvelni Sazzay
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2010
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy