SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ અમૃતવેલની સાય ન કરવો, મૂછ ન કરવી. આ પાંચ મૂલ ગુણ છે. તેને મહાવ્રત કહેવાય છે. શય્યાતરપિંડ, રાજ્યપિંડ, નિત્યપિંડ, અગ્રપિંડ વાળા આહારનો ત્યાગ એ ઉત્તરગુણ છે. તથા સાધુપણાની સાધક નાની-મોટી ક્રિયા કરવાનો જે નિયમ તે સઘળા ઉત્તરગુણો જાણવા. આવા પ્રકારના મુનિ કોઈ દ્રવ્યથી નિર્ઝન્થ હોય છે અને કોઈક દ્રવ્યથી તથા ભાવથી એમ ઉભયથી નિર્ગસ્થ હોય છે. સંસારનો વેશ છોડીને સાધુનો વેશ ગ્રહણ કરે. સાધુપણાની ક્રિયા કરે, પરંતુ મમતા, મૂચ્છ ત્યજે નહીં. સાંસારિક જ વાર્તાલાપ વધારે કરે, તેમાં જ રસ ધરાવે, ક્રોધ-માન-માયાલોભ વગેરે કષાયોનો વિજય ન કરે, પરંતુ કષાયપરિણામવાળી જ વધારે મનોવૃત્તિ રાખે તે દ્રવ્યથી નિર્ચન્દમુનિ જાણવા. પરંતુ જેઓએ સાધુવેશ ધારણ કરીને સંસારની તમામ મૂછ, મમતા ત્યજી દીધી છે. અન્તર પરિણતિથી જેઓએ કષાયોનો ત્યાગ કર્યો છે. નિર્મળ આત્મપરિણતિ જેઓએ ધારણ કરી છે, પરમાર્થતત્ત્વનું જેઓએ લક્ષ્ય બાંધ્યું છે, પરમાર્થ તત્ત્વની પ્રાપ્તિ માટે જેઓ પ્રયત્નશીલ છે, કષાયો ઉપર જેઓએ કન્ટ્રોલ કર્યો છે. વિજય મેળવ્યો છે તેવા મુનિ તે ભાવથી નિર્ચન્દમુનિ કહેવાય છે. આવા પ્રકારના જેઓ ભાવથી નિગ્રંથ મુનિ બન્યા છે
SR No.006023
Book TitleAmrutvelni Sazzay
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2010
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy