SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારરત્નરાશિ ભયભીત રહે છે, તેને તે પિતાની સમીપ સત્વર આકથી આણે છે, કારણ કે વિચારની અદભુત આકર્ષક સત્તા છે. ભયના વિચારમાં વારંવાર નિમગ્ન રહેનાર મનુષ્ય અલ્પ સમયમાં, જેનું તે ભય ધરે છે, તેને પોતાની દષ્ટિસમીપ મૂર્તિમાન થયેલું જુએ જ છે. ૧૦૧. વીજળી પડવી, ધરતીકંપથ, આગ લાગવી વગેરે અકસ્માત બનતા પ્રસંગોમાં મનુષ્યએ તે સંબંધના ભયના વિચારો સેવેલા જણાતા હોતા નથી, અને તેથી ભયના વિચારો સેવવાથી જ ભયના પ્રસંગો આવે છે, એ કહેવું યથાર્થ નથી, એવી કેટલાક મનુ શંકા કરે છે, પરંતુ તે શંકા યોગ્ય નથી. જેટલા જેટલા પ્રસંગે જગતમાં બને છે, તે સર્વ માનસિક વિચારો અને તે દ્વારા થતી મનુષ્યોની ક્રિયાના જ પરિણામો હોય છે. અને તેથી ઉપર કહેલા અકસ્માતમાં ભયના વિચારો, મનુએ તે અકસ્માતની પૂર્વેક્ષણમાં સેવેલા જે કે જણાતા નથી, તો પણ કોઈ સમયે કોઈ સ્થળે મનુષ્યોએ ભયના વિચારો સેવેલા હોવાથી જ તેવા અકસ્માત નીપજવા સંભવ આવે છે. ભયના વિચારે કઈ કાળે પણ સેવ્યા વિના ભયના પ્રસંગે પ્રકટવાને સંભવ આવતે જ નથી. જો મનુષ્યના અયોગ્ય વિચારવિના તથા તે વિચારવડે થતી અયોગ્ય ક્રિયાવિના ભયના પ્રસંગે ઉત્પન્ન થવાને સંભવ આવતો હોય તે તે યોગ્ય વિચારવિના અને યોગ્ય ક્રિયાવિના પણ ઉચ્ચ સુખના સંભો ઉત્પન્ન થવા જોઈએ. અકસ્માત જેમ વિજળી પડે છે, ધરતીકંપ થાય છે, અને આગ લાગે છે, તેમ અકસ્માત સેનાને વરસાદ વરસે જોઈએ, અને અકસ્માત નવા મહાલયો કોઈ કોઈ સ્થળે બંધાઈ જવા જોઈએ; પરંતુ અશુદ્ધ વિચારવિના આ વિશ્વમાં જેમ દુઃખના સંભ ઉત્પન્ન થતા નથી, તેમ શુદ્ધ વિચારવિના સુખના સંભવ પણ ઉત્પન્ન થતા નથી. ૧૦૨. પરમાત્માની કલ્યાણકારક સત્તા સર્વત્ર વિલસી રહી છે, અને તેથી દુઃખને આવવાને લેશ પણ સંભવ નથી, એવી અચલ શ્રદ્ધા જે મનુષ્ય સેવે છે, અને તેથી કરીને જે મનુષ્યો “આમ કરીશું તે રખેને આમ થશે, અને આમ કરીશું તે રખેને તેમ થશે,' એવા ભયવાળા વિચારેને સેવતા નથી, અને પિતાનું મિથ્યા અભિમાન પરમેશ્વરમાં સમર્પ, યથાપ્રાપ્ત વ્યવહાર શાંત અને સ્વસ્થપણે સેવ્યા કરે છે, તેઓ ભયમાત્રથી મુક્ત રહે છે, અને ઉત્તરોત્તર ઊંચા ઊંચા સુખના પ્રસંગેને પ્રકટેલા અનુભવે છે. પરમેશ્વર જે કરે છે, તે સારું જ કરે છે.
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy