SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારરત્નરાશિ ] ૬૩ ૪૬. કાઈ મહાપવ્રુતિના બાળકને દુષ્ટ લોકા વનમાં પકડી જઈ ચારાના બાળક ભેગા ઉછેરી ચાર બનાવે, અને પછી કેટલેક કાળે ચાર થયેલે તે બાળક, કાઈ યાળુ મહાત્માના ઉપદેશથી પોતાના નૃપતિપણાના જ્ઞાનને પામી પોતાના નૃપતિપણાનું સ્મરણ કરે, અથવા હું નૃપતિ છું એમ ખેલે, તો શું તેના પિતા નૃપતિના તેણે મહા અપરાધ કર્યાં, એમ લેખાશે? અને દુષ્ટ લેાકેાના ભેગા રહેતાં છતાં પણ, શરીરે લૂટારાનાં વસ્ત્ર ધારણ કરવા છતાં પણ અને નૃપતિના એકવના અંશ પણ પ્રાપ્ત ન હતાં પણ નિરંતર પોતાના મૂળસ્વરૂપનું ચિંતન કરી ‘હું નૃપતિ છું,’ એમ વદ્યા કરે તો તે વાત જાણી તેના પિતા શું તેને શિક્ષા કરશે? જ્યારે મનુષ્યનાં લક્ષણવાળા નૃપતિ પણ પોતાના બાળકને આવા વ્યવહારથી શિક્ષા કરતા નથી, પણ ઊલટા પ્રસન્ન થઈ, તેને આ પ્રકારના ચિંતનથી લાગ આવ્યે દુટામાંથી ભાગી આવવાના સંભવને સ્વીકારે છે તે પરમકૃપાળુ ધિર પોતાના અશભૂત અને સ્વરૂપભૂત મનુષ્યને જીવત્વમાં રહ્યા છતાં પણ પોતાના શુદ્ધ સ્વરૂપનું ચિંતન કરતા જોઈ શિક્ષાપાત્ર ગણે એ કેવળ અસંભવિત છે. વસ્તુતઃ ‘હું જીવ છું, હું અપૂર્ણ છું, હું પાપી છું, હું દોષવાળા છું,' એમ વદવુ, અને તે તે દોષોમાં પોતાના આતપ્રોત અનુભવ કરવા, એ ઇશ્વરનો મોટામાં મોટો અપરાધ છે, અને હું. બ્રહ્મ હુ, હું પૂર્ણ છું, હું પુણ્ય સ્વરૂપ છું, હું નિર્દોષ શુદ્ધ નિર્વિકાર છું,' એમ વજ્જુ, અને બ્રહ્મત્વનાં તે તે લક્ષણામાં પોતાના ઓતપ્રોત અનુભવ કરવા, એશ્વિરની મોટામાં મોટી સ્તુતિ છે. અરું ત્રાસ્મિ એ વેદના મહાવાક્યના અર્થમાં તન્મય થઈ જવુ, એથી ઈશ્વરની મોટામાં મોટી સ્તુતિ કાઈ છે જ નહિ. ૪૭. જ્યારે મનુષ્ય પોતાના પૂર્ણ સ્વરૂપની વારંવાર ભાવના કરે છે, અને તેમાં તન્મય થવાનો પ્રયત્ન સેવે છે, ત્યારે તે ક્રમે ક્રમે પોતાના પૂર્ણ પાના અનુભવ કરે છે. પોતાના અપૂણ પણાને વારવાર જોવું, અને તેનુ જ ચિંતન કર્યાં કરતું, એ જીવત્વનાં સંસ્કારને દૃઢ કરવાનું સાધન છે; અને જીવત્વના પોતાને અનુભવ થવા છતાં પણ તે અનુભવની ઉપેક્ષા કરી પોતાના પૂણ પણાનુ જ વારંવાર ચિંતન કરવું, અને તેનું ભાન હૃદયમાં નિરંતર જામ્રત રાખવાના પ્રયત્ન સેવવા, એ પોતાના મૂળ સ્વરૂપે પ્રાપ્ત થવાનું સાધન છે. સાધનની અવસ્થા જ દર્શાવે છે કે સાધકને સાધ્ય વસ્તુની પ્રાપ્તિ થઈ નથી. સાધ્ય વસ્તુની પ્રાપ્તિ થયા પછી સાધન કરવું રહેતું નથી. સાધ્ય વસ્તુની અપ્રાપ્તિ હોય છે, ત્યાંસુધી જ સાધન કરવાનુ હોય છે. અને આમ હોવાથી
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy