SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ [શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર જેમ નેત્ર વૃક્ષને જુએ છે, અને આ વૃક્ષ છે, એવું જ્ઞાન પ્રાપ્ત કરે છે, તેમ ઇંદ્રિ આત્માના સંબંધમાં આવીને આ આત્મા છે, એવું જ્ઞાન પ્રાપ્ત કરવા અસમર્થ છે. તે જ પ્રમાણે બુદ્ધિ, વિવિધ તર્કથી તથા ઇંદ્રિયોએ મેળવી આપેલાં પ્રમાણથી, જેમ જગતના વિવિધ વિષયોનું જ્ઞાન મેળવે છે, તેમ વિવિધ તર્કથી તથા પ્રમાણથી આત્માને જાણવા અસમર્થ છે. આત્માને જાણવા માટે તે બુદ્ધિએ ઇંદ્રિયોને ત્યજીને તથા પિતાના વ્યાપારને છોડીને પિતાને પ્રેરક અને પિતાને સ્વામી જે આત્મા તેમાં બૂડી જવું જોઈએસ્થિર થવું જોઈએ. તેમ કરવાથી હું ચૈતન્યસ્વરૂ૫ આત્મા છું, એવો અનુભવ તેને થવાને સંભવ આવે છે. ઈદ્રિયના અને બુદ્ધિના વ્યાપારને અટકાવી આત્મામાં જેમણે બુદ્ધિને ડુબાડી છે, તેમના અનુભવને બુદ્ધિએ શ્રદ્ધાથી માની, તેમને પગલે પગલે ચાલવું, એ જ તેને માટે સુખને ઉપાય છે. તે વિના, તર્કથી અને પ્રમાણથી આત્માને અનુભવ થયે પિતાના અસત્ય નિશ્ચય ફેરવવા તેણે ઘણે પ્રસંગે જે નિર્ણય કર્યો હોય છે, તે તેની દુઃખી સ્થિતિને લંબાવનાર જ થઈ પડે છે. બુદ્ધિએ બાંધેલા ખોટા નિશ્ચયથી જ આપણે ખોટા વિચારે સેવીએ છીએ, અને એ આપણા ખોટા વિચારેએ જ આપણું આ દુર્દશા કરી મૂકી છે. ખોટા વિચારોથી દુખ થાય છે, તેને સર્વને નિત્ય અનુભવ થવા છતાં મનોને ખોટા વિચારે દુઃખના કારણરૂપ છે, એ વાત માનવામાં આવતી નથી. કેટલાક મનુષ્યો ખોટા વિચારોથી શરીરઉપર અસર થાય છે, એ વાત સ્વીકારે છે, પણ તેથી નિર્ધનતા પ્રાપ્ત થાય છે, અથવા આપણું સંબંધમાં આવનાર બીજા મનુષ્યો દુઃખી થાય છે, એ વાર્તા સ્વીકારી શકતા નથી. હવે આ વિષયના ખરાપણાને અથવા ખોટાપણાને નિર્ણય પ્રયોગ કરી જેવાથી તત્કાળ થઈ શકે એવે છે તે પછી તેની ચર્ચામાં ઊતરી પ્રમાણોની ફેંકાફેકી કરવાનું શું પ્રયોજન છે? શુદ્ધ વિચાર સેવવા પ્રયોગ અફીણ ખાવાજે કે સેમલ ખાવાજે ભયભરેલ નથી. ભયભરેલ હોય તે તેની અજમાયશ કાઢતાં મનુયોએ ખચકવું યોગ્ય છે. પણ ભય ન છતાં, અને પરિણામે લાભ થવાનું વચન આપવામાં આવતાં છતાં, વાત માનવાજેવી જ નથી, એવો દુરાગ્રહ ધરો, એ કેટલું અયોગ્ય છે? આવો દુરાગ્રહ સુખ આપનાર પ્રગે. સેવવામાં આળસ, પ્રમાદ અને કાયરતાવિના બીજું કશું જ સૂચવત નથી.
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy