SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિશ્વવંદવિચારરત્નાકર સ્વરૂપ સમજી બેઠા છીએ; અને તેથી મનની વિવિધ હર્ષશેકની સ્થિતિએ, આપણે આપણને સુખી તથા દુઃખી માનીએ છીએ. આપણું વાસ્તવિક “હું” જેને પરમતત્વ સાથે અખંડ સંબંધ છે, તે છેક અંતરમાં છે. જેમ તરવાર ઉપર મ્યાન હોય છે, તેમ આપણું મન એ આપણા વાસ્તવિક “હું ને આછાદન કરીને રહ્યું છે, અર્થાત મન એ આત્માને ઢાંકનાર કેશ છે. શરીર એ મન તથા આભા ઉભયને આછાદન કરે છે, અને તેથી શરીર બહારને કેશ અથવા ઢાંકણ છે. અને એમ છતાં આ ત્રણે મળીને મન થાય છે. ત્રણે એક જ ચૈતન્યની સૂક્ષ્મતર, સૂક્ષ્મ અને સ્થલ કળાઓ છે. મન, પાંચ જ્ઞાનેન્દ્રિયો વડે બાહ્ય જગતના વિવિધ પદાર્થોનું જ્ઞાન મેળવે છે. જ્ઞાનેન્દ્રિયવિના અન્ય કોઈ પણ ધારવડે મનને જ્ઞાન થતું નથી, એમ ધણા લોકેનું માનવું છે, પણ તે યથાર્થ નથી. જ્ઞાનેન્દ્રિયદ્વારા મન ને નાન પ્રાપ્ત કરે છે, તે સર્વદા યથાર્થ હોતું નથી. ઘણે પ્રસંગે તે તે અસત્યમિશ્ર અથવા કેવલ બ્રાંતિમય જ હોય છે. નેત્રવડે મનને સ્ત્રીષ્ઠાદિ પના વિષયનું જ્ઞાન થાય છે, અને તે યથાર્થ સુખના હેતુ છે, એમ મન માને છે, પરંતુ વસ્તુતઃ તેમ હોતું નથી. સ્વાદેન્દ્રિયવડે તે વિવિધ સ્વાદવાળા આહારના પદાર્થોને સુખના હેતુ માને છે, પણ વસ્તુતઃ તે પદાર્થો આરોગ્યની વૃદ્ધિ કરનાર હોતા નથી, પણ રેગની વૃદ્ધિ કરનાર હોય છે. કેવળ જ્ઞાનેન્દ્રિયવડે મન, અમુક વસ્તુ સુખનો હેતુ છે કે દુઃખ હેતુ છે, તેને નિર્ણય કરી શકતું નથી, અને તેથી કરીને ઘણે પ્રસંગે દુ:ખને આપનાર પદાર્થોને તે સુખને આપનાર માને છે, નાશવાન પદાર્થોને તે અવિનાશી માને છે, કુરૂપ પદાર્થોને તે ઉત્તમ રૂપવાળા ગણે છે, અને અપવિત્ર પદાર્થોને તે શુચિ અર્થાત પવિત્ર ગણે છે. ઇનિવડે પ્રાપ્ત થતું જ્ઞાન સાચું છે, એ પ્રકારનું ઘણું મનોનું માનવું હોવાથી તેઓ ઈન્દ્રિયવિના અન્ય કેઈ ઠારવડે યથાર્થ જ્ઞાન થવાની સંભાવને સ્વીકારતા નથી, પણ સલ્ફાસ્ત્રો તથા સભ્યો ડિડિમ વગાડીને કહે છે કે ઈજિદ્વારા થતું જ્ઞાન ભ્રાંતિમય છે, અને અતીન્દ્રિય જ્ઞાન અર્થાત ઈન્દ્રિયવિના થતું જ્ઞાન સત્ય છે, અને દેવી છે. ઇન્દ્રિયજન્ય જ્ઞાન જયારે ત્રિવિધ દુઃખને આપે છે, ત્યારે અતીન્દ્રિય જ્ઞાન ત્રિવિધ દુઃખથી મુક્ત કરે છે. ઇન્દ્રિયજન્ય જ્ઞાન મનુષ્યને માયામય કરી મૂકે છે, ત્યારે અતીન્દ્રિય જ્ઞાન મનુષ્યને ચૈતન્યમય અર્થાત્ પરમામામય કરી મૂકે છે. ઇન્દ્રિય સધી પિતતાના વિષયમાં વેગથી ધાવન કરે છે, અને તે તે
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy