SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિશ્વવંદવિચારરત્નાકર સંરક્ષક છે. પરમાત્માની ઉત્પાદક (ઉત્પન્ન કરનાર), સંરક્ષક અને સંહારક સત્તા પ્રત્યેક દશ્ય પદાર્થોમાં પ્રત્યેક ક્ષણે ક્રિયા કર્યા જ કરે છે. શરીરમાં પ્રત્યેક ક્ષણે અસંખ્ય અણુઓને સંહાર થાય છે, અસંખ્ય નવા ઊપજે છે, અને અસંખ્યનું પિષણ થાય છે. અસંખ્ય જૂના અણુઓને સંહાર થતો રહે ન હોય અને તેમને સ્થાને નવા રચાતા રહેતા હોય તે બાળકના શરીરની વૃદ્ધિ કદી થાય નહિ, અર્થાત પરમાત્માની સંહારક સત્તા, એ તે પદાર્થની વૃદ્ધિ અને ઊંચી કળા કરવા અર્થે જ છે. જેમ શરીરમાં થતે નિત્ય સંહાર, વિનાશને માટે નથી, પણ ઉન્નતિને માટે છે, તે જ પ્રમાણે મૃત્યુકાળે થતે માટે સંહાર પણ વિનાશને માટે નથી, પણ ઊર્ધ્વગતિ કરવાને અર્થે જ હોય છે. પરંતુ આ વાર્તા અદષ્ટને જેવાના સામર્થ્યવાળા જ જાણે છે. ઈશ્વરી નિયમે સર્વત્ર સરખા હોય છે. જે ઊંચે હોય છે તે નીચે હોય છે, અને જે નીચે હોય છે તે ઊંચે હોય છે, જે અત્ર હોય છે તે તત્ર હોય છે, અને જે તત્ર હોય છે તે અત્ર હોય છે, જે પૂર્વે હતું કે વર્તમાનમાં છે, અને જે વર્તમાનમાં છે તે ભવિષ્યમાં હશે, તેથી કરીને હમણાં જેમ શરીરમાં નિત્ય થતે સંહાર શરીરની ઉન્નતિ અને વૃદ્ધિને અર્થે છે, તેમ મૃત્યરૂપ સામયિક સંહારકાળે તે શરીરને વિનાશ નવા રૂપમાં તેની ઉન્નતિ અને વૃદ્ધિ અર્થે છે, એ સિદ્ધ થાય છે. પરમાત્માની આ ઉત્પાદક, સંરક્ષક અને સંહારક સત્તાને આપણાં શાસ્ત્રો બ્રહ્મા, વિષ્ણુ અને સ્ત્ર કહે છે, અને તે ત્રણે સત્તાઓ પ્રત્યેક અણુમાં વ્યાપેલી હોવાથી બ્રહ્મા, વિષ્ણુ અને દ્ધને પ્રત્યેક શરીરમાં નિરંતર વાસ હોય છે. પરમાત્મા આ દશ્ય જગતથી કદી જુદા નથી અને એક ક્ષણ પણ જુદા કદી થઈ શકે તેમ નથી. જગતમાંથી પરમાત્માને લઈ લેવામાં આવે તે જગત જેવી કોઈ વસ્તુ રહે તેમ નથી. પરમાત્માવડે જ આ જગતની સ્થિતિ છે. પરમાત્મા જ જગતને આધાર છે. જગતની પ્રતીતિ પરમાત્માવડે જ છે, તેથી શાસ્ત્રીય શબ્દોમાં બોલીએ તે પરમાત્મા જ આ જગતરૂપ થયા છે. પરમાત્માના બળવિના એક પાનડું પણ હાલી શકતું નથી, એવું જે કથન લેકમાં ચાલે છે, તે કેટલું સત્ય છે, તે આ વિચારથી સહજ સમજી શકાય તેમ છે. આ સર્વ વિચારેવડે આપણે જે ગ્રહણ કરવાનું છે, અને હૃદયમાં નિરંતર આરૂઢ રાખવાનું છે તે એ છે કે આપણે અર્થાત્ મનુષ્યને આધાર પરમાત્મા છે. આપણું અસ્તિત્વનું, આપણી ક્રિયાનું, આપણું જ્ઞાનનું, સ્વલ્પમાં આપણું સર્વસ્વનું મૂળ કારણ પરમાત્મા છે. તે આપણામાં નિરંતર
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy