SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ [શ્રી વિશ્વવંધવિચારરત્નાકર જેમ દીપક મેલી હાંડીમાં પણ પ્રકાશે છે, અને નિર્મળ હાંડીમાં પણ પ્રકાશે છે, પરંતુ પાત્રના ભેદવડે પ્રકાશમાં ભેદ પડે છે, તેમ પરમાત્મરૂપ આ પ્રેમ [ણી કામીજનનાં હૃદયમાં પણ પ્રકાશે છે, અને સર્વાત્મદશી મહાજનનાં હૃદયમાં પણ પ્રકાશે છે, પરંતુ અંતઃકરણના ભેદવડે એક પ્રેમ અયોગ્ય ગણાય છે, અને બીજો યોગ્ય તથા સર્વેએ પ્રાપ્ત કરવા યોગ્ય ગણાય છે. પ્રેમ ઈશ્વરને અંશ હોવાથી જેના જેના હૃદયમાં તે પ્રકટે છે–પછી તે મનુષ્ય વિદ્યાભત હોય, દેશભક્ત હોય, માતૃભક્ત હોય, પત્નીભક્ત હોય, કલાભક્ત હાય, ઈશ્વરભક્ત હોય, કે પછી પરસ્ત્રીભક્ત હોય તો પણ–ત્યાં સુખને જ પ્રકટાવે છે; અને પ્રેમના આ સુખદ સ્વભાવને લીધે જ મનુ અયોગ્ય પ્રેમને ત્યજી શક્તા નથી. પ્રેમ છે કે અયોગ્ય નથી પણ પ્રેમને પ્રકટ થવાનું દ્વાર જ યોગ્ય કે અયોગ્ય હોય છે, એ વાર્તાનું આપણે વિસ્મરણ ન કરવું જોઈએ. - પરમેશ્વર જ્ઞાનસ્વરૂપ છે. સતશાસ્ત્રો તેમને “ચિત ' સ્વરૂપ અથવા ચિતિશક્તિ” અથવા “ભાતિ' એવા એવા ભિન્ન શબ્દોથી વણે છે. વિશ્વમાં જ્યાં જ્યાં જ્ઞાન અથવા બુદ્ધિનો અનુભવ થાય છે, તે સર્વ, પૂર્ણ જ્ઞાનસ્વરૂપ પરમેશ્વરના ન્યૂનાધિક અંશમાં આપણને પ્રતીત થતા અંશ જ છે. અંતઃકરણરૂપ દ્વારવડે જ્ઞાનસ્વરૂપ પરમાત્મા જ્ઞાનરૂપે પ્રકટ થાય છે. દ્વાર ભેદ એ જ જ્ઞાનની ઓછી વધતી કળામાં કારણ હોય છે. જેમ ઘરમાં મેટું દ્વાર હોય છે, તો ઘણે પ્રકાશ આવે છે, બારી હોય છે તે શેડો આવે છે, અને નાનું જાળિયું હોય તે તેથી પણ ઓછો આવે છે, તેમ મલિન અંતઃકરણમાં જ્ઞાનસ્વરૂપ પરમાત્મા ઘણી જ ન્યૂન કળાથી પ્રકાશે છે, રાજસ અંતઃકરણમાં તેથી ચઢતી કળાથી પ્રકાશે છે, સાત્વિક અંતઃકરણમાં તેથી પણ વધારે ચઢતી કળામાં પ્રકાશે છે, અને શુદ્ધ સાત્ત્વિક અંતઃકરણમાં અસાધારણ જ્ઞાનવિભવવડે પ્રકાશે છે. જ્ઞાન પ્રાપ્ત કરવાને અર્થે બહારથી નવું નવું જાણવું એ નથી, પણ હૃદયમાં જે જ્ઞાનસ્વરૂપ પરમાત્મા છે, તેમને પ્રકાશવાની અનુકૂળતા કરી આપવી એ છે. ભીતરમાં જે છે, તેને બહાર યથેચ્છ પ્રકાશ પડી શકે એમ કરવું એ જ શિક્ષણને હેતુ છે. આથી જે શિક્ષણમાં, ભીતરમાં રહેલા જ્ઞાનસ્વરૂપ પરમાત્માને બહાર પ્રકટ થવાની અનુકૂળતા રચી આપવામાં આવતી નથી, પણ અસંખ્ય બાબતેને બહારથી અંદર ભરવામાં આવે છે, તે ખરું શિક્ષણ નથી. એથી શિક્ષણને અર્થ સરતો નથી. જ્ઞાનસ્વરૂપ પરમાત્મા પ્રત્યેક
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy