SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારરત્નરાશિ ] ૧૫૩ નાર કંઈ ક્રિયા જ હંમેશાં હોતી નથી; અનેક ઉદાહરણોમાં, ક્રિયા જ બેટી હોય છે, માટે દુ:ખ જણાય છે, એમ કંઈ હોતું નથી, પણ ક્રિયાના સંબંધમાં આપણે ખોટો વિચાર કર્યો હોય છે, તેથી દુઃખ જણાયું હોય છે કે મનુષ્ય યોગ્ય ક્રિયા કરતા હોય અને તે પણ જે તે ધારે કે હું અયોગ્ય ક્રિયા કરું છું તે તે ખોટા વિચારને કેટલાક પ્રમાણમાં ઉત્પન્ન કરે છે, અને તેના પરિણામમાં તેને દુઃખ આવે છે. ખરી ક્રિયા કરવા છતાં પણ તે વાત આપણે જાણતા નથી, અને આપણે ખોટું જ કર્યું છે એવું દૃઢપણે માન્યા કરવાથી આપણા જીવનમાં પૂરેપૂરાં પચીસ ટકા જેટલાં દુઃખો આપણે આપણું ઉપર આણીએ છીએ. ૨૮૧. પરંતુ આ ઉપરથી આપણે એવું અનુમાન ખેંચી કાઢવાનું નથી કે ખોટી ક્રિયાને ખરી ક્રિયા આપણે માનીશું તે તેનું ખોટું ફળ આપણને નહિ મળે. કોઈ પણ ક્રિયાના ફળમાં આપણે વિચારથી તિલમાત્ર જેટલો પણ ફરક પડતું નથીપણ આપણા વિચારો નવી ક્રિયાઓને પ્રકટાવે છે, અને આ ક્રિયાઓ તેઓ જે પ્રકારની હોય છે, તે પ્રકારનાં ફળને ઉત્પન્ન કરે છે. આથી કોઈ ક્રિયા ખરી છતાં પણ જ્યારે તે ખોટી છે, એવો આપણે વિચાર કરીએ છીએ, ત્યારે આપણે એક નવી ખોટી ક્રિયા ઉપજાવીએ છીએ; અને જે આપણને દુઃખ આવે છે, તે આ પાછળથી ઉપજાવેલી ખાટી ક્રિયાથી જ આવે છે. અને આ પાછલી માનસ ક્રિયા કેઈ કોઈ વાર એટલી તે બળવાન હોય છે કે સારી ક્રિયાથી પ્રકટનારા સારા ફળને તે સર્વ પ્રકારે તોડી નાંખે છે. ૨૮૨. કેવળ શુદ્ધ નિયમનો ભંગ થયો છે, એવી તમારી ખાતરી ન થાય ત્યાં સુધી કોઈ ભૂલને, તે ભૂલ છે, એ તમારા મનને કદી પણ વિચાર કરવા ન દે; ભૂવાનું સંપૂર્ણ વિસ્મરણ કરી દેવું, અને આપણા મનને સુધારવામાં અને તેને નિર્દેપ કરવામાં વૃત્તિને સંપૂર્ણ અંશે જોડી દેવી, એ જ યોગ્ય છે. દુઃખમાંથી બહાર નીકળવાને ટૂંકામાં ટુંકે રસ્તો એ છે કે ભૂલને ભૂલી જવી, અને ખરું કામ કરવામાં આપણા સધળા બળને વાપરવું. ૨૮૩. ભૂલોના સંબંધમાં જયાંત્યાં પારવિનાને ઠપક અને ઉપદેશ આપવામાં આવે છે, અને લગભગ સઘળા મનુષ્ય પોતાના જાણવા પ્રમાણે અને માનવા પ્રમાણે જે સઉથી સારું તેમને લાગે છે, તે જ કરે છે. તે ઉપર ઘણું જ થોડું ધ્યાન આપવામાં આવે છે. સઘળી બાબતમાં એકમત થવાને માટે, આપણે સઘળી બાબતોને એક જ દષ્ટિબિંદુથી જોવી જોઈએ; પરંતુ પ્રજાના હાલના વિકાસમાં આમ થવું સંભવિત નથી. પણ આટલું તે દરેક २०
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy