SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર ત્રાસ ઉપજાવનાર થઈ પડે છે. જે પદાર્થો દાંતવાળા હસે હસે ખાય છે, તે જ પદાર્થો દાંત વિનાનાં બાળકે તથા વૃદ્ધોને પ્રિય લાગતા નથી, તેમ સાધનનું પણ હોય છે. કેટલાંક સાધને કેટલાકને બહુ પ્રિય લાગે છે, ત્યારે બીજા કેટલાકને તેને અભાવ હોય છે; પરંતુ જેમ દાંતવિનાના મનને સેપારી કે એલચી કે એવી જ વસ્તુઓ ખાંડણીમાં ઝીણી ફૂટીને આપવામાં આવે છે, તે તે જ પદાથૈને તે પ્રીતિથી ગ્રહણ કરે છે, તેમ અપ્રિય ભાસતાં સાધને પણ જ્યારે મનુષ્યોને સરળ કરીને આપવામાં આવે છે, ત્યારે તેઓ તેનું પ્રીતિથી સેવન કરે છે. આમ હેવાથી અત્ર પૂર્વ મહાપુરૂષોએ સુખનાં જે સાધન વિવિધ ગ્રંથોમાં લખ્યાં છે, તેને જુદા પ્રકારથી સરળ રૂપમાં વર્ણવવા પ્રયત્ન કરવા ધાયું છે. આ પ્રયત્ન પૂર્વે કેઈએ નહિ કર્યો હોય તથા આજે કોઈ નથી કરતું એમ કહેવાનું તાત્પર્ય નથી. સર્વકાળે મહાપુ આવો પ્રયત્ન કરે જ છે, અને જે સમયે તે પ્રયત્ન થયો હોય છે, તે સમયે તે તે સમયના મનુષ્યને રચિકર થઈ પડે એવા પ્રકારે જ બહુધા તે પ્રયત્ન થયો હોય છે. પરંતુ તે સમય બદલાતાં, અને - ભિન્ન પ્રકૃતિનાં મનુષ્ય ઉત્પન્ન થતાં પછી તે પ્રયત્ન તે નવીન મનુને બહુ ઉપયોગી થઈ પડતું નથી. આ પ્રમાણે સમયે સમયે વિવિધ પ્રકૃતિનાં મનુષ્યો ઉત્પન્ન થતાં રહેતાં હોવાથી જ એકની એક વાતને વર્ણવનાર અસંખ્ય પ્રકારના ગ્રંથ લખાયા છે, અને લખાય છે. સુખનાં સરલ સાધન આ ગ્રંથમાં જે રીતે લખવા પ્રયત્ન આદર્યો છે, તે જ પ્રકારે અન્ય કોઈએ લખ્યું હશે અથવા આજે લખે છે તેથી આ ગ્રંથ ન લખવો, એમ કંઈ નીકળતું નથી, કારણ કે એક ગામમાં જેમ એક જ જાતને માલ તૈયાર કરનાર અનેક મનુષ્યો દેવા, એ કઈ અયોગ્ય ગણાતું નથી, અથવા એક જ જાતના માલને વેચનાર વ્યાપારીઓની દશવિશ દુકાને હોવાથી કોઈને તેમાં દોષ કાઢવા જેવું જણાતું નથી, તેમ આ પ્રકારના પ્રયત્ન બીજા કેઈએ કરેલ હોય તે પણ તેથી આ પ્રયત્ન દોષવાળો ગણવાનું, અથવા નિરર્થક ગણવાનું કશું જ પ્રયોજન નથી. સુખને મેળવવાને ઉપાય જ્ઞાન છે, એમ સર્વ સંપુરષો તથા શાસ્ત્રો એકે અવાજે કહે છે, અને જનસમુદાય તે વાર્તાને સ્વીકારે પણ છે, કારણ કે મનુષ્ય જ્યાંત્યાં સુખને મેળવવા માટે કંઈ પણ જાણવાના પ્રયત્નને જ કરતા જોવામાં આવે છે. પરંતુ અખંડ સુખને આપનારું જ્ઞાન કયે ઉપાય, શું કર્યું, ક્યાં ગમે
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy