SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ [શ્રી વિનવવધવિચારરત્નાકર વેલી છે, તે પોતાના પ્રમાણુના જ મળેલા છે. જે આપણે સર્વોત્તમ પદાર્થો જોઈતા હોય તે આપણામાં રહેલી સર્વોત્તમ યોગ્યતાને આપણે બહાર દર્શાવવી જ જોઈએ; અને પ્રત્યેક વિચારવાનને એ સ્પષ્ટ ભાસ્યા વિના રહે તેમ નથી કે અસંતોષને ઉગારે કાઢવાથી કંઈ યોગ્યતા પ્રકટાવી શકાતી નથી; સંતિષ અને પ્રસન્નતાના ઉગારે જ યોગ્યતા દર્શાવે છે. ૧૯. તમને હાલ જે સ્થિતિ પ્રાપ્ત થઈ છે, તે તમારી યોગ્યતા પ્રમાણેની જ થઈ છે. આથી ઉત્તમ સ્થિતિ જે તમારે જોઈતી હોય તે હાલની સ્થિતિને પરમપ્રસન્નતાપૂર્વક વધાવી લઈને તેમાં તમારાં જે કર્તવ્યો હોય તેને ખરા પ્રેમથી સાધો. પાંચમા ધોરણમાં બેસવાને યોગ્યતાવાળા વિદ્યાર્થીને તે ધોરણમાં બેસાડ્યા પછી તેનું કર્તવ્ય તે ધરણનાં પુસ્તકને પરમપ્રેમપૂર્વક અભ્યાસ કરવાનું છે. તે ધેરણનાં પુસ્તકોને અભ્યાસ જેમ અધિક પ્રેમ અને પ્રસન્નતાપૂર્વક તે કરે છે, તેમ છઠ્ઠા ધોરણમાં ચઢવાને તે સત્વર લાયક થાય છે. આમ ન કરતાં જે તે પાંચમા ધોરણનાં પુસ્તકો, શિક્ષકો, અને નિશાળની ઓરડીને દેષ કાવ્યા કરે છે, અને પાંચમા ધરણપ્રતિ વિષેધ અથવા અણગમો દર્શાવ્યા કરે છે, તે છઠ્ઠા ધોરણમાં ચઢવાની તેનામાં કદી પણ યોગ્યતા આવતી નથી એટલું જ નહિ પણ તેને પાંચમા ધોરણમાં જ સડ્યા કરવું પડે છે. તે જ પ્રમાણે આ સંસારરૂપી શાળામાં પણ આપણને જે સ્થિતિ પ્રાપ્ત થઈ હોય છે તે સ્થિતિનાં કર્તવ્યો જે આપણે ઉત્તમ પ્રકારે કરીએ છીએ તે જ તેનાથી ચઢિયાતી સ્થિતિ આપણને પ્રાપ્ત થાય છે, અન્યથા આપણને પ્રાપ્ત હલકી સ્થિતિમાં આપણે સર્વદા સવ્ય કરવું પડે છે. ૨૦૦. મનોને માટે ભાગ ફળપ્રતિ જ નિરંતર દૃષ્ટિ રાખનાર હોય છે, પરંતુ જે કર્તવ્ય મને પ્રાપ્ત છે, તેને હું સર્વોત્તમ પ્રકારે કરું છું કે કેમ, તે પ્રતિ કઈ વિરલની જ દૃષ્ટિ હોય છે. આથી ઘણા જ ઓછા મનુષ્યોને જગતમાં સર્વોત્તમ અભ્યદય જોવામાં આવે છે. ફળને માટે પ્રયત્ન કરનારા મનુષ્યોમાં પણ સારો પ્રયત્ન કરવાની દાનત ઘણું જ છેડાની હોય છે; મોટે ભાગે તે ઉપરચેટિયા પ્રયત્નથી આખે લાડવો રવાહી કરી જવાને તકાવનારે હોય છે. આવા મનુષ્યો તન દઈને અભ્યાસ ન કરનાર અને કોપી કરીને પરીક્ષામાં પાસ થઈ જવાને ઇચ્છનાર વિદ્યાર્થી જેવા છે. આવી રીતે પ્રસંગે પાસ થવાય છે, પરંતુ અભ્યાસ કરીને પાસ થનાર વિદ્યાર્થીની યોગ્યતામાં અને કોપી કરીને પાસ થનારની યોગ્યતામાં બહુ જ અંતર રહે છે. યોગ્યતા પ્રાપ્ત કરવાને અર્થે જ
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy