SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ બકુત્તર - સણોત્તર (નિ.) . (આઠથી અધિક, સંખ્યાવિશેષ) આજના સમયમાં ઘરે, શેરીએ કે શહેરમાં ક્યાંય પણ અકસ્માતુ કે તાત્કાલિક ઇમરજન્સીમાં 108 નંબરની ગાડીને બોલાવવામાં આવે છે. કારણ કે દરેકને ખબર છે કે 108 આવી એટલે દર્દીને તુરંત રાહત થઈ જશે અને તે અકસ્માત કે બિમારીમાંથી ઉગરી જશે. લાચારીની વાત તો એ છે કે, ભવરોગથી પીડાતા અને કર્મોના રોજીંદા અકસ્માતોથી ગંભીર ઇજા પામતા એવા આપણને ઉગારનારા 108 ગુણના સ્વામી પંચપરમેષ્ઠી હોવા છતાં આપણે તેમને યાદ પણ નથી કરતા. ગકુત્તરસ લૂડ - ગણોત્તરશતકૂદ (પુ.) (શત્રુંજય પર્વત, સિદ્ધગિરિ) - કુટ એટલે નાનકડી ટેકરી જેવા પહાડો પર આવેલી તીર્થકરોની દેરીઓ. પ્રાયઃ શાશ્વત એવા સિદ્ધાચલ પર્વત પર આવા કૂલ એકસોને આઠ કૂટ હતા. જેનો કાળના પ્રવાહ સાથે નાશ થતાં વર્તમાનકાળમાં એક પણ દેખાત નથી. પરંતુ તીર્થકલ્પ નામક શાસ્ત્રમાં આનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. મMત્તિ - ૩અત્પત્તિ (ત્રી.) (ધનની ઉત્પત્તિ જેમાંથી થાય તે-વ્યવહાર, ધનની પ્રાપ્તિ) મનુષ્યનું જીવન ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચાર પાયા પર રહેલું છે. શાશ્વત સુખ પામવા માટે જેમ ધર્મ અને મોક્ષ આવશ્યક છે તેમ સંસારના વ્યવહારમાં રહેવા માટે કામ અને અર્થ પણ આવશ્યક છે. તેમાંય જીવનનિર્વાહ માટે તો અર્થ અતિઆવશ્યક અંગ ગણવામાં આવેલા છે. તેને અગિયારમો પ્રાણ પણ કહેવામાં આવેલો છે. વ્યવહારપ્રજ્ઞપ્તિ શાસ્ત્રના બીજા ઉદ્દેશામાં લખેલું છે કે, અર્થ અર્થાત ધન વ્યવહારમાંથી ઉત્પન્ન થાય છે. આથી પુરુષે તેવો વ્યવહાર કરવો જોઇએ કે, જેમાંથી ધનની પ્રાપ્તિ થાય. મસીસ - ગોલ્ફાસ (પુ.) (આઠ શ્વાસોશ્વાસ, પંચનમસ્કાર) જૈનધર્મ એક પ્રકારે વિજ્ઞાનધર્મ પણ છે. પ્રતિક્રમણમાં કાઉસગ્નમુદ્રામાં જે નવકાર મંત્ર કે લોગસ્સસૂત્રની ગણના મૂકી છે તે પણ શ્વાસોશ્વાસના આધારે. કારણ કે ઘણી વખત વ્યક્તિને પોતાના શ્વાસની સંખ્યા કે તેના સમયનું જ્ઞાન નથી હોતું. પરંતુ સ્વસ્થ વ્યકિત જેટલા સમયમાં આઠ શ્વાસોશ્વાસ લે તેટલા પ્રમાણનો એક નવકાર હોય છે. આથી વ્યક્તિનું પોતાના શ્વાસનું અને સમયનું જ્ઞાન થાય છે અને પંચપરમેષ્ઠીનું ધ્યાન પણ થાય છે. કસે - મચ્છોલેજ (ત્રિ.). (જેની ઊંચાઈ આઠ યોજનાની હોય તે) છ ખંડનું અધિપતિપણું પ્રાપ્ત કર્યા બાદ ચક્રવર્તીને સર્વવિષયો તથા પદાર્થોને આવરી લેનારી નવનિધિઓની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રમાં તેના માટે લખેલું છે કે, નવે નિધિઓ આઠ પૈડા પર રહેલી, આઠ યોજન ઊંચી, નવ યોજન પહોળી, બાર યોજન લાંબી, પેટના આકારની તેમજ ગંગાના મુખ આગળ રહેલી હોય છે. માં - (થા.) (ગતિ કરવી, ગમન કરવું) મુનિ લાવણ્યસમયજી મહારાજ પોતાની સઝાયમાં લખે છે કે, લગ્ન બાદ વ્યક્તિ પોતાની, પોતાના કુટુંબની જરૂરિયાતો, અપેક્ષાઓ, શોખ પૂરા કરવા અને પૈસા કમાવવા માટે ગધેડાની જેમ દિવસ કે રાત, તડકો કે છાંયડો વગેરે જોયા વિના આમથી તેમ ભટક્યા જ કરે છે. પરંતુ એકવાર પણ જિનાલય કે ઉપાશ્રયમાં જવાનું આવે તો કોઈને કોઈ બહાનું કાઢીને છટકી જતો હોય છે. ત્યાં તેના પગ દુઃખવા લાગે છે. ઊંઘ આવે છે. કંટાળો આવે છે. આવા જીવો ખરેખર દયાપાત્ર છે. મટ (પુ.) (રોમરાજીવાળા પક્ષી વગેરે 2. કબુતરની પાંખ સમાન પાંખવાળું ગોરૈયા નામનું પક્ષીવિશેષ) 209
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy