SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ अज्जरक्खियमीस - आर्यरक्षितमिश्र (पुं.) (આર્ય રક્ષિતમિશ્ર, આગમ અનુયોગના કર્તા આર્ય રક્ષિતસૂરિ) અMદ - ૩માર્થ (પુ.). (આર્ય વજસ્વામીના ત્રીજા શિષ્ય) અશ્વત્ર - મદન (કું.) (પ્લેચ્છ જાતિનો એક ભેદવિશેષ) સાવ - ગાર્નવ (.). (સરળતા, કપટનો અભાવ 2. સંવર 3. શ્રમણધર્મનો ત્રીજો ભેદ 4. યોગસંગ્રહનો દશમો પ્રકાર) આવશ્યકસૂત્રની કથાઓ અંતર્ગત સરળતા ગુણ વિષયક ચંપાનગરીના મહામતિ કૌશિકાર્ય ઉપાધ્યાયના બે શિષ્યોનું દૃષ્ટાંત આપેલું છે. બંને શિષ્યોમાં એક મૂર્ખ અને એક સરળ હતો. મૂર્ખ જીવ હત્યા કરીને ગુરુભાઈ પર આરોપ મૂક્યો છતાં તે શિષ્ય ગુરુની તાડના સરળતાથી સહન કરી. અન્ને બંને શિષ્યો તથા પત્ની સહિત ઉપાધ્યાય આ ચારેયનો આત્મા ઋજુ હોવાના કારણે દીક્ષા લીધી અને રાગ-દ્વેષરહિત સમતાભાવમાં રહેતા તે ચારેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. અંતે મોક્ષમાં ગયા. મન, વચન, કાયાની વિક્રિયા એટલે કપટના અભાવને પણ આર્જવ કહેવાય છે. આગમોમાં યત્ર-તત્ર-સર્વત્ર જણાવાયું છે કે, આત્માના ઉર્ધ્વગમન માટે સરળતા ગુણ કેળવવો અત્યંત આવશ્યક છે. અળવફર - માર્યવઝ (વૈર) (ઈ.) (આર્ય સિંહગિરિના શિષ્ય, અંતિમ દશપૂર્વી) ધનગિરિ અને સુનંદાના પુત્ર અને આર્યસિંહગિરિના શિષ્ય હતા. માત્ર ત્રણ વર્ષની ઉંમરમાં પદાનુસારી લબ્ધિના પ્રભાવે પારણામાં સૂતા સૂતા સાધ્વીજીના મુખેથી શ્રવણ કરીને અગિયાર અંગના જ્ઞાતા બન્યા હતા. કાળક્રમે દીક્ષા લઇને ગુરુએ તેમની યોગ્યતા જાણી તેઓને પોતાના પટ્ટધર બનાવ્યા. સ્વયં દશપૂર્વના જ્ઞાતા હોવાથી તે કાળમાં પ્રધાન શ્રતધર હતા. તેઓએ જાવડશા પાસે શત્રુંજયનો જીર્ણોદ્ધાર કરાવડાવ્યો હતો. વિદ્યા-સિદ્ધિઓના પ્રભાવે તેઓએ જિનશાસનની અપૂર્વ પ્રભાવના કરી હતી. તેમના નામથી વજી શાખા નીકળી હતી. अज्जवइरसेण - आर्यवज्रसेन (पुं.) (આય.વજસ્વામીના પ્રથમ શિષ્ય). આર્યવ્રજસેનસૂરિ દશપુર્વા આર્યવજસ્વામીના પ્રથમ શિષ્ય હતા. તેઓએ માત્ર દશવર્ષની ઊંમરે વજસ્વામી પાસે વ્રજ્યા ગ્રહણ કરી હતી અને તેમનો ચારિત્ર પર્યાય ૧૨૦વર્ષનો હતો. તેઓએ બારવર્ષના દુષ્કાળથી કંટાળીને સામૂહિક આત્મહત્યા કરવા જતા કુટુંબને બચાવ્યું હતું. અને તે જ કુટુંબના ચારપુત્રોને દીક્ષા આપી હતી. પાછળ જતાં તે ચારેયના નામથી અલગ-અલગ કુળ નીકળ્યા હતાં. જેમાંનું એક છે ચાંદ્રકુળ આજે પણ દીક્ષા આપતી વખતે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. અળવ - માવજી (સ્ત્રી.). (આર્યવજસ્વામીથી નીકળેલી આર્યવજ શાખા) अज्जवट्ठाण - आर्जवस्थान (न.) (આર્જવાદિ સંવરના પાંચ સ્થાન ૨.સાધુ 3. સંવરનું સ્થાન) સ્થાનાંગસૂત્રના પાંચમા સ્થાનના પ્રથમ ઉદેશામાં કહેવું છે કે, આર્જવ એટલે માયાનો નિગ્રહ અને તેના કુલ પાંચ સ્થાનો છે. 1. સાધુઆર્જવ 2. સાધુમાર્દવ 3. સાધુલાઘવ 4. સાધક્ષમા અને 5. સાધુમુક્તિ. આમાં આર્જવતાથી લઈને મોક્ષસુધીનો ક્રમ બતાવ્યો છે. આગમશાસ્ત્રો લખે છે કે, મોક્ષ સુધી પહોંચવું હોય તો પ્રથમ ઋજુતા લાવો તેના વિના મોક્ષ શક્ય નથી. अज्जवपहाण - आर्जवप्रधान (त्रि.) (આર્જવ પ્રધાન, સરળતા મુખ્ય છે જેમાં તે, માયાના ઉદયનો નિગ્રહ કરવામાં પ્રધાન હોય તે) ઔપપાતિકસૂત્રમાં કહેલું છે કે, માયા એ જીવ જોડે વક્રતાભર્યું વર્તન કરાવે છે. માટે મોક્ષમાર્ગમાં ઉદ્યત અને આર્જવ પ્રધાન શ્રમણ 13
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy