SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ નિપા - મનિન () (મૃગાદિનું ચર્મ 2. ચર્મ ધારણ કરવું તે 3. અસર્વજ્ઞ, જે વીતરાગ નથી તે) ભોજરાજાએ ધનપાલ કવિની પરીક્ષા કરવા માટે તેના હાથમાં પૂજાનો થાળ પકડાવીને કહ્યું કે, તું ભગવાનની પૂજા કરીને આવ. ધનપાલ નગરના જુદા-જુદા મંદિરમાં ગયો અને અંતે તેને જિનેશ્વરની પૂજા કરી. ગુપ્તચર દ્વારા આ ખબર રાજાને મળી. રાજાએ ધનપાલને કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે, હે રાજા ! વીતરાગ તો તે છે જે અસ્ત્રાદિ રહિત, સ્ત્રીના સંસર્ગ રહિત અને ક્રોધ-મોહમાયાદિ રહિત હોય. જે મને માત્ર જિનેશ્વરદેવમાં દેખાયું અન્ય તો અસર્વજ્ઞ હોવાથી દેવ છે પરંતુ, ભગવાન નહીં. નિપUT - મનીf (1.) (અપચો, અજીર્ણ 2. ત્રિ. જે વૃદ્ધ નથી તે) મની મોનનત્યાઃ ' અર્થાતુ, જયારે ખાધેલ ભોજન પચ્યું ન હોય ત્યાં સુધી પુનઃ ખાવું ન જોઈએ. ખાઉધરા થઈને જો ખા-ખા કરીએ તો બીજા ઘણા રોગો ઉત્પન્ન થાય છે. ધર્મબિંદુ અને ધર્મસંગ્રહ જેવા આકર ગ્રંથોમાં અજીર્ણના ચાર પ્રકાર આ પ્રમાણે વર્ણવ્યા છે. 1 આમ 2 વિદગ્ધ ફવિષ્ટબ્ધ અને 4 રસશેષ. અજીર્ણ થાય ત્યારે ખૂબ પાણી પીવું જોઈએ કારણ કે, અજીર્ણમાં પાણી બળપ્રદ થાય છે. જેમ વ્યવહારનું જ્ઞાન આવશ્યક છે તેમ આહારનું જ્ઞાન પણ જરૂરી છે. આજનો માનવ વ્યવહારનું જ્ઞાન તો સારું ધરાવે છે પરંતુ, આહારનો વિવેક ન હોઈ ડગલે ને પગલે બિમાર પડે છે. વૈદ્યકશાસ્ત્રોમાં કહેવું છે કે, બધા રોગો પેટથી જન્મે છે. આથી સુપાચ્ય અને જેનાથી અજીર્ણ ન થાય તેવો યોગ્ય આહાર લેવો જોઇએ. अजिम्मकंतणयणा - अजिह्मकान्तनयना (स्त्री.) (નિર્વિકારી અને સહજ ચંચળ આંખોવાળી સ્ત્રી) સાહિત્યગ્રંથોમાં સ્ત્રીઓ માટે વિવિધ ઉપમાઓ મૂકવામાં આવેલી છે. તેમાંની એક છે મૃગનયના. કારણ કે જેમ હરણની આંખો નિર્વિકારી અને સહજ સૌંદર્યયુક્ત અને ચંચળ હોવાથી જોનારને અતિપ્રિય થઈ પડે છે તેમ જે સ્ત્રીઓની આંખો સુંદર, નિર્વિકાર અને ચંચળ હોય તેમને ‘અજિકાન્તનયના' ઉપમાવાળી કહી છે. મનિય - નિત (ત્રિ.) (અપરાજિત, અજિત) જેણે પોતાના શૌર્ય અને પરાક્રમથી વિશ્વ પર વિજયપતાકા લહેરાવી હતી તેવા સમ્રાટ અશોક અને સિકંદર જેવા રાજાઓ કોઇથી જીતી શકાય તેવા ન હતા. આવા અજેય રાજાઓને પણ મૃત્યુએ પરાજિત કરી દીધા. તેમનું સૈન્ય, સંપત્તિ કે શૌર્ય પણ તેમને મૃત્યુથી બચાવી શક્યું નહીં. તેઓએ ભલે બાહ્ય જગત પર વિજય મેળવ્યો હોય પરંતુ, મૃત્યુ પર વિજય નહોતો મેળવ્યો, આથી તે અજેય કહી જ ન શકાય. જેણે મૃત્યુ પર વિજય મેળવ્યો છે તે જ સાચો અપરાજિત છે. अजियदेव - अजितदेव (पुं.) (મુનિચંદ્રસૂરિના શિષ્ય, જુઓ “અજિઅદેવ') अजियप्पभ - अजितप्रभ (पु.) (સ્વનામ પ્રસિદ્ધ એક ગણિવર્ય, જુઓ “અજિઅપ્પભ') નિયવના - નતવત્ના (સ્ત્રી.) (બીજા તીર્થકર અજિનાથ ભગવાનનાં શાસનદેવી, જુઓ “અજિઅબલા') अजियसीह - अजितसिंह (पुं.) (ત નામના અંચલગચ્છીય એક આચાર્ય, જુઓ ‘અજિઅસીહ') अजियसेण - अजितसेन (पुं.) (ગઇ ઉત્સર્પિણીમાં જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં થયેલા ચોથા કુલકર, જુઓ “અજિઅણ') નિયા - માતા (સ્ત્રી.) (ચોથા તીર્થકર શ્રીઅભિનંદન સ્વામીના શાસનમાં દીક્ષિત એક સાધ્વી, જુઓ “અજિઆ'). . 159
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy