SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ આચરણામાં ઉદ્યત થતો નથી. વોu - મોપ (સ્ત્રી.) (નિસ્તુપ, તે નામનું ચીકાશ રહિત એક પેયદ્રવ્ય) મોરિય - વીર્થ (ન.) (ચોરીનો અભાવ, અચૌર્ય) વ્યક્તિને જયારે બીજાની પાસે રહેલા ભૌતિક સુખ-વૈભવના સાધનો પ્રત્યેની તીવ્રલાલસા જાગી જાય છે ત્યારે રાજદંડ, લોકનિંદા આદિ દુઃખદ પરિણામ તરફ દુર્લક્ષ્ય કરાવીને પણ આ લાલસા વ્યક્તિને ચોરી કરવા માટે પ્રેરે છે. જયારે પુરુષાર્થ તથા નસીબના આધારે પોતાની પાસે રહેલા થોડા-ઘણા સુખ-સગવડમાં પણ જે ખુશ છે તે વ્યક્તિના જીવનમાં ચોરીનો સર્વથા અભાવ હોય છે. મત્ર - (.) (પૂજા કરવી, સત્કાર કરવો, પૂજવું) જેમણે સત્યધર્મ બતાવીને આપણી ઉપર અસીમ ઉપકાર કર્યો છે તે તીર્થંકર પરમાત્માની પૂજા કરવાના 3 પ્રકારો છે. 1. અંગપૂજાપરમાત્માના અંગોને સ્પર્શપૂર્વકની પૂજા તે હવણ, ચંદન, પુષ્પ પૂજા. 2. અગ્રપૂજા- પરમાત્માની નજીક રહીને કરાતી ધૂપ, દીપાદિ પૂજા. 3. ભાવપૂજા- ભગવાનની સન્મુખ યોગ્ય અંતરે રહી ભાવપૂર્વક સ્તવનાદિ થાય તે ચૈત્યવંદનાદિ. સર્વ (ત્તિ.) (પૂજા કરનાર, પૂજક 2. લવ નામક સમયનો ભેદ વિશેષ) અર્ચ ધાતુ પરથી અર્ચન શબ્દ બને છે તે પૂજકના અર્થમાં પણ વપરાયો છે અને કાળના અનેક ભેદો પૈકીના એક ભેદ તરીકે પણ વપરાયેલો છે. કલ્પસૂત્રમાં વર્ણન આવે છે કે, લવ નામક કાળવિશેષના ભેદમાં શ્રમણ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા હતા. મર્ચ (ત્રિ.). (પૂજ્ય, પૂજનીય) દેવ અને ગુરુને આપણે પૂજય માનવાનું કારણ શું? તો કહ્યું છે કે, તીર્થકર ભગવંતોએ કોઈપણ પ્રકારની અપેક્ષા વગર આપણને સત્યમાર્ગ રૂપ ધર્મની પ્રરૂપણા કરી. તેમજ વળતર ચુકવ્યા સિવાય ક્યાંય પણ કોઈ કાર્ય થતું નથી એવા અત્યારના સમયમાં પોતાની સંપૂર્ણ સંપત્તિનો ત્યાગ કરીને, સુખ-સગવડો છોડીને એમણે સત્ય માર્ગને આપણા સુધી પહોંચાડ્યો તથા કુંભકર્ણની જેમ પોઢેલા આપણા આત્માને જગાડ્યો. એ અનન્ય ઉપકારના કારણે દેવ અને ગુરુ આપણા માટે અત્યન્ત પૂજય છે. મનં - મત્ય (2) (ભોગ-વિલાસના મુખ્ય અંગરૂપ મધ-માંસાદિ) દારૂ, માંસ, મધ આદિ મહાવિગઈનું સેવન પાંચેય ઇંદ્રિયોને ઉન્મત્ત બનાવી ભોગ-વિલાસની અતીવ લાલસા વધારનારું છે. જેના ફળ રૂપે નરકાદિ ગતિઓમાં ઉત્પન્ન થઈને અત્યંત દુઃખ ભોગવવું પડે છે. માટે શાસ્ત્રકારોએ ચાર મહાવિગઈના સેવનનો નિષેધ કરી ભોગોને વિશે અત્યંત વૃદ્ધિનો ત્યાગ કરવા માટે જણાવ્યું છે. अच्चंतकाल - अत्यंतकाल (त्रि.) (ઘણા લાંબા સમયવાળું, અત્યધિક કાળ) ઉત્તરાધ્યયનસૂત્રમાં જણાવ્યું છે કે, જિનધર્મના સેવન થકી ભવ્યજીવો જન્મ-મરણના સર્વપ્રકારના અનાદિકાલીન દુઃખોને સમૂળગા નષ્ટ કરી દે છે. જ્યારે વિષય-લાલસાઓથી ભરેલા જીવો અસત્ માર્ગે ગમન કરવાના કારણે સમુદ્રમાં છુટા પડેલા પાટીયાની જેમ અત્યધિકકાળ વીતવા છતાં સંસારસમુદ્રમાં ગોથા ખાતા જ રહે છે. બંતથાવર - અત્યન્તસ્થાવર (પુ, સ્ત્રી.) (અનાદિકાળથી સ્થાવરજાતિમાં રહેલા). વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થાધિપતિ ભગવાન ઋષભદેવની માતા મરુદેવા કે જેમને શ્રમણ બનેલા પુત્ર ઋષભ ઉપર અત્યંત સ્નેહ હોવાથી તેમની ક્ષેમકુશળતાની ચિંતાથી નિરંતર રોતા રહ્યા. જેથી તેમની આંખોના પોપચાં બંધવત્ થઈ ગયા હતાં. તે મરુદેવા 114
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy