SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ : - ઉપદેશરહસ્ય ગાથા-૧૧૬ ક્રિયાથી દેહનિર્વાહ વગેરે જે જણાવ્યું હતું એ બધું સિદ્ધાંતાનુસારી નથી. તારા મતે જે જતના પૂર્વક થઈ રહેલ આહાર-નિહારાદિ વિધિસાધક યંગ સાધુઓ માટે નિર્દોષ હોય તે જતના પૂર્વક વસ્ત્રાદિ ઉપકરણનું કરાતું છેદનાદિ પરિકર્મ પણ ખેડૂતના દષ્ટાંતથી નિર્દોષ સમજવું જોઈએ. જેમ પાકરક્ષા માટે ખેડૂત વધારાના કુટી નીકળેલા ઘાસને નંદી નાંખે છે-ઉખાડી નાંખે છે તે જ રીતે સંયમ રક્ષા માટે સાધુ પણ બિનજરૂરી વસ્ત્રની લંબાઈને ફાડી નાંખે છે-ટૂંકાવી નાખે છે. કહ્યું છે કે – "यद्वत् शस्यहितार्थ शस्याकीर्णेऽपि विचरतः क्षेत्रे । या भवति शस्यपीडा यत्नवतः साल्पदोषाय ॥ तद्वज्जीवहितार्थ जीवाकीर्णेऽपि विचरता लोके । या भवति जीवपीडा यत्नवतः साल्पदोषाय ॥" ખેડૂત જેમ પાકથી લચી પડેલા ખેતરમાં હરેફરે છે પણ તે પાકની રક્ષા માટે અને તેથી પ્રયત્નપૂર્વક હરવા-ફરવામાં પાકને થતી પીડામાં દોષ અલ્પ છે-લાભ ઘણો છે. તે જ રીતે જીવાકીર્ણ લોકમાં સાધુઓ હરે ફરે છે પણ તે જીવરક્ષા માટે અને તેથી ચેતનાપૂર્વક હરવા-ફરવામાં જેને સહેજ પીડા થાય તેમાં પણ દેષ અલ્પ છે, લાભ ઘણે છે.ગોડલ્સના अप्पेव सिद्धं तमजाणमाणो तं हिंसयं भाससि योगवंतं । दव्वेण भावेण य संविभत्ता चत्तारि भंगा खलु हिंसगत्ते ॥१३९३२॥ अपीत्यभ्युच्चये-अस्त्यन्यदपि वक्तव्यमिति भावः । यदेवं योगवन्तं वस्त्रच्छेदनादिव्यापारवन्तं जीवं हिसकं त्वं भाषसे, तत् निश्चीयते सम्यसिद्धान्तमजानान एवं प्रलपसि । नहि सिद्धान्ते योगमात्रप्रत्ययादेव हिंसापवर्ण्यतेऽप्रमत्तसंयतादीनां सयोगिकेवलिपर्यन्तानां योगवतामपि तदभावात् । कथं तर्हि सा प्रवचने प्ररूप्यत इत्याह-द्रव्येण भावेन च, संविभक्ताश्चत्वारा भंगाः खलु हिंसकत्वे भवन्ति । तथाहि- 'द्रव्यतो नामैका हिंसा न भावतः, २ भावतो नामैका हिंसा नद्रव्यतः, 3 एका द्रव्यतोऽपि भावतोऽपि एका न द्रव्यतो नापि भावतः । अथैषामेव यथाक्रमं भावनां कुर्वन्नाह વળી બીજુ પણ સમજવા જેવું છે કે વસ્ત્ર છેદનાદિ ક્રિયા કરનાર સગી સાધુને તુ હિંસક ગણાવે છે તે પણ સિદ્ધાન્તની ભલીપેરે જાણકારી વિના જ બડબડે છે. સિદ્ધાંતમાં માત્ર ગથી ક્યાંય પણ હિંસાનો દોષ જણાવ્યું નથી કારણ કે અપ્રમત્ત સંયતથી માંડીને સગિકેવલી સુધી યુગ હોવા છતાં પણ હિંસા અને હિંસાજન્ય કર્મબંધ પણ ન થવાનું પ્રસિદ્ધ છે. જનપ્રવચનમાં હિંસાનું વર્ણન આ રીતે છે–દ્રવ્યથી હિંસા અને ભાવથી હિંસા આ બે બેલથી હિંસકના ચાર ભંગ નિષ્પન્ન થાય છે. - ૧. દ્રવ્યથી હિંસા, ભાવથી નહિ.. ૨. ભાવથી હિંસા, દ્રવ્યથી નહિ. ૩. દ્રવ્યથી હિંસા, ભાવથી હિંસા. ૪. ન દ્રવ્યથી, ન ભાવથી. ૩૯૩રા આ ચાર ભંગની સમજુતી આ પ્રમાણે છે –
SR No.006002
Book TitleUpdesh Rahasya
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Jain Sangh
Publication Year1983
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy