SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ-૧૬ અશુભ અનુબંધે લેશનું મૂળ છે. ૧૩૩ સેવન કરવાથી, અને ઔષધ પણ કુશળ વૈદ્યની સલાહ મુજબ ધીરજપૂર્વક કંટાળ્યા વિના લેવામાં આવે અને અપચ્યાહારથી દૂર રહેવામાં આવે તો દુ:સાધ્ય રોગો પણ મટી ગયાના અનેક ઉદાહરણો છે. એ જ રીતે પ્રસ્તુતમાં પણ સમજવું. આજ્ઞાગ પણ સામાન્યપણે આચરવાથી અશુભાનુબંધને ઉચ્છેદ થઈ જતો નથી. તેનો ઉછેર કરવા માટે તે [અશુભાનુબંધ તોડવાના શાસ્ત્રીય ઉપાય]. (૧) ઓઘનિર્યુક્તિ શાસ્ત્રમાં ગાથા ૭૬૨ થી ૭૮૪ સુધીમાં બતાવેલ અશુભસ્થાનને ત્યાગ અને શુભ આયતનમાં નિવાસની મર્યાદાઓનું પાલન કરવું જોઈએ. (૨) રોજ રોજ અપ્રમત્તપણે નવા નવા શ્રતજ્ઞાનનું અર્જન કરવા ઉદ્યમશીલ બનવું જોઈએ. (૩) “ગુરુ વિના જ્ઞાન નહિ” એ દિલમાં બરાબર ધારી રાખીને જ્ઞાનદાયક સદગુરૂનો વિનય, તેમનું અભ્યથાન, તેમની ભક્તિ, તેમના સદગુણોની પ્રશંસા, તેમની સેવા વગેરે ઉચિત કર્તવ્ય હંમેશા બજાવતા રહેવું જોઈએ. (૪) વળી જ્ઞાનાદિ ઉપાર્જનમાં બાધક જ્ઞાનાવરણાદિ કર્મની નિર્જર (ક્ષય) માટે તપશ્ચર્યા ખાસ કરીને યુગો દ્વહન વગેરેમાં અપ્રમત્ત થવું જોઈએ. (૫) સત્તર પ્રકારના સંયમમાં–આત્મનિગ્રહ, ઈન્દ્રિયનિરોધ, કષાયજય વગેરેમાં પ્રયત્ન કરવો જોઈએ. (૬) જે પાંચ મહાવ્રત પોતે આજીવન સ્વીકાર્યા છે તે નિત્ય સમરણમાં રહેવા જોઈએ અને તે માટે મૂળગુણ તથા ઉત્તરગુણના પાલનમાં અંશે પણ તેની સાવધાની રહેવી જોઈએ. તેમ જ તેમાં વૃદ્ધિ થાય તે માટે પાંચ મહાવ્રતની પચીશ ભાવનાઓનું ચિંતન-મનન કરવું જોઈએ. આ બધું હોય તે અશુભાનુબંધ તૂટવાની શકયતા પ્રબળ બને છે. [અપ્રમત્તભાવની આત્યંતિક મહત્તા]. આને સાર એ કે સાધુચર્યામાં સતત અપ્રમત્તભાવ કેળવે જોઈ એ. શ્રી તીર્થંકરદેવોએ પણ “સમગ્ર શm. It gમાયણ' ઇત્યાદિ સાર ગર્ભિત વચનોથી શ્રી ગૌતમ સ્વામીને ઉદ્દેશીને અપ્રમાદ કેળવવાનું ફરમાવ્યું છે. અનુગદ્વાર સૂત્રમાં પણ કહ્યું છે કે જે વિહિતક્રિયા તગતચિત્ત, તદનુગતમન અને તદાકાલેશ્યાથી ભાવિત થઈને કરવામાં આવે તે ક્રિયા જ ઉપગ પૂર્વકની છે અને ભાવનિક્ષેપે આવશ્યક સ્વરૂપ છે. આવા પ્રકારના ઉપયોગથી શૂન્ય ક્રિયા ભાવાવશ્યક સ્વરૂપ ન રહેતા દ્રવ્યક્રિયા બની જાય છે. પછી ભલે તે ક્રિયા કરતી વખતે સૂત્રનું ઉચ્ચારણ સ્મલિત-હીનાક્ષર વગેરે દેથી રહિતપણે કરવામાં આવ્યું હોય. કેટલાક ૧૪ પૂર્વધર વગેરે આત્માઓને અશુભાનુબંધને વ્યવછેદ નથી થતો એ જ સૂચવે છે કે તેઓને અત્યંત અપ્રમત્તભાવને આજ્ઞાાગ પ્રગટ થયા નથી. જે પદાર્થ જે કાર્યના કારણરૂપે માનવામાં આવ્યું હોય તેનાથી જે તે કાર્ય પ્રગટ ન થાય તે તેને તેનું કારણ કહેવાય જ શી રીતે ? નિશ્ચય નયની દષ્ટિએ તો કારણ જ તે છે કે જે કાર્યોત્પત્તિ માટે ઉદાસીન નહિ પણ સક્રિય હોય. શંકા - જે અપ્રમત્તભાવનો આજ્ઞાગ જ અશુભાનુબંધ વિચ્છેદક હોય તે અપ્રમત્તભાવ શૂન્ય જે પ્રાથમિક આજ્ઞાપાલન છે તેને શું નિષ્ફળ માનશે ? [નિષ્ફળતાના ખંડીયેરેમાંથી પણ સફળતાનું નિર્માણ]. આ શંકાનું સમાધાન મૂળપ્લેકના ઉત્તરાર્ધમાં કર્યું છે. અશુભાનુબંધ જ્યારે નિકાચિત હોય અને તેથી આજ્ઞાપાલન દ્વારા પણ અપરિવર્ત્યો હોય અથવા એકવાર શુદ્ધાજ્ઞા ગના પાલનને આરંભ કર્યા બાદ અશુભાનુબંધ આગંતુક પ્રમાદગના કારણે વૃદ્ધિગત
SR No.006002
Book TitleUpdesh Rahasya
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Jain Sangh
Publication Year1983
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy